પોષક તત્વોનું પાવરહાઉસ છે અંજીર! દૂધની સાથે આ રીતે મિક્સ કરીને સેવન કરો, મળશે ગજબના લાભ

પોષક તત્વોનું પાવરહાઉસ છે અંજીર! દૂધની સાથે આ રીતે મિક્સ કરીને સેવન કરો, મળશે ગજબના લાભ

ડ્રાયફ્રૂટ્સનું સેવન આપણા શરીરમાં ઘણા પોષક તત્વોની ઉણપને દૂર કરે છે. આજે અમે તમને એવા જ એક ડ્રાયફ્રૂટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને સ્વસ્થ રાખશે. આ સાથે તે ઘણી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. અંજીરનો ઉપયોગ અનેક રોગો સામે દવા તરીકે થાય છે. સ્થૂળતા વધવાથી લઈને કબજિયાત સુધીની અનેક સમસ્યાઓથી રાહત મળે છે.

અંજીરના ફાયદા
કેલ્શિયમનો સારો સ્ત્રોત
અંજીરને કેલ્શિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. દૂધ સાથે તેનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. તમને જણાવી દઈએ કે કેલ્શિયમ હાડકા અને દાંત માટે જરૂરી છે. જેમના શરીરમાં આયર્નની ઉણપ છે તેમના માટે અંજીર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આયર્નની ઉણપથી પીડાતા લોકોએ સૂકા અંજીરનું સેવન કરવું જોઈએ.

હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક
હૃદયની બીમારીઓથી પીડિત લોકો માટે અંજીર ખાવું ફાયદાકારક છે. તેમાં હાજર પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે. રાત્રે અંજીરને દૂધમાં પલાળી રાખો અને સવારે તે દૂધ અને અંજીરનું સેવન કરો.

ગેસ અને અપચો દૂર કરે છે
જો તમે દરરોજ પેટમાં ગેસ અથવા અપચોથી પરેશાન છો, તો તમારી ડાયેટમાં અંજીરનો સમાવેશ કરો. તેમાં હાજર ફાઈબર તમને કબજિયાતની સમસ્યાથી રાહત આપશે અને પેટ સાફ કરવામાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે અંજીર મેટાબોલિક રેટને સુધારે છે. તેમાં ફિકિન નામનું એન્ઝાઇમ હોય છે જે પાચનમાં મદદ કરે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરો છે અંજીર
અંજીરમાં હાજર એન્ટી-ઓક્સીડેન્ટ શરીરના કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તેના સેવનથી બીપીનું જોખમ ઓછું થાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow