પિતૃ પૂજાનું પર્વ

પિતૃ પૂજાનું પર્વ

લક્ષ્મી નારાયણ સંહિતા પ્રમાણે માગશર મહિનાના સુદ પક્ષની બીજ તિથિએ પિતૃઓની ઉત્પત્તિ થઈ હતી. નારદ પુરાણ પ્રમાણે આ તિથિએ શ્રાદ્ધ સાથે પિતૃઓની પૂજા કરવાથી આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે. આ તિથિ આ વખતે 25 નવેમ્બર, શુક્રવારના રોજ રહેશે.

આ દિવસે તીર્થ કે પવિત્ર નદીઓના પાણીથી સ્નાન કરીને પિતૃઓની પૂજા કરવાનું વિધાન છે. પુરાણો પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે. એટલે આ તિથિએ શ્રીકૃષ્ણ અને વિષ્ણુ પૂજા કરવાનું પણ મહત્ત્વ છે.

ચાંદી કે તાંબાના લોટામાં પાણી, દૂધ, જવ, તલ, ચોખા અને સફેદ ફૂલ મિક્સ કરો. આ પાણી હથેળીમાં લઈને અંગૂઠા તરફથી પિતૃઓ માટે કોઈ વાસણમાં છોડો. આ સાથે જ પિતૃ દેવતાભ્યો નમઃ મંત્રનો જાપ કરો. આવું પાંચ કે અગિયાર વખત કરો. તે પછી આ જળ પીપળામાં ચઢાવી દો.

માગશર અમાસના દિવસે શક્ય હોય તો વ્રત રાખો અને ક્ષમતા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને અનાજ, વસ્ત્ર વગેરેનું દાન કરો. સવારે જલ્દી તાંબાના લોટામાં પાણી, દૂધ, અક્ષત, જવ અને તલ મિક્સ કરીને પીપળામાં ચઢાવો અને ઘીનો દીવો પ્રગટાવવો. તે પછી પીપળાની પરિક્રમા કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે.

માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા અને વ્રત કરવાથી બધી કામનાઓ પૂર્ણ થાય છે. સાથે જ, આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી પરેશાનીઓથી મુક્તિ મળે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow