પિતા-પુત્ર 17 વેપારીની 2.28 કરોડની ચાંદી ચાંઉ કરી ગયા

પિતા-પુત્ર 17 વેપારીની 2.28 કરોડની ચાંદી ચાંઉ કરી ગયા

રાજકોટના સોની બજારમાં પેઢી ધરાવતા અને ચાંદીના દાગીનાનું ટ્રેડિંગ કરતાં પિતા-પુત્રએ ઉપલાકાંઠાના ચાંદીના ધંધાર્થીઓ પાસેથી રૂ.2.28 કરોડની 290 કિલો ચાંદીના દાગીના મેળવી વેપારીઓને પૈસા નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

રણછોડનગરમાં રહેતા રાજેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી પિતા-પુત્ર ચારેક મહિનાથી ધંધાર્થે તેમના સંપર્કમાં હતા. ગત તા.24 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધીમાં આરોપી પિતા-પુત્ર સુરેશ ચના ઢોલરિયા અને કેતન સુરેશ ઢોલરિયા તેમની પાસેથી રૂ.20,19,619ની કિંમતના 26.774 કિલો ચાંદીના દાગીના લઇ ગયા હતા આરોપી પિતા-પુત્રએ 17 વેપારીઓ પાસેથી ચાંદીના દાગીના મેળવી રકમ નહીં ચૂકવી રૂ.2,28,10,597ની છેતરપિંડી આચરી હતી. પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સુરેશ ઢોલરિયાને સકંજામાં લઇ તેના પુત્ર કેતન ઢોલરિયાની શોધખોળ શરૂ કરી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow