સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 49157 વિદ્યાર્થીની 5 એપ્રિલથી પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 49157 વિદ્યાર્થીની 5 એપ્રિલથી પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુજી સેમેસ્ટર-6 અને પીજીના સેમેસ્ટર-4 સહિતના જુદા જુદા 43 કોર્સની આગામી 5 એપ્રિલથી પરીક્ષા લેવાનાર છે. ત્યારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 49,157 વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજોમાં કેન્દ્ર ફાળવી દેવાયા છે અને પરીક્ષા માટે ઓબ્ઝર્વર પણ મોકલવામાં આવનાર છે.

પરંતુ યુનિવર્સિટીની પરીક્ષામાં સૌથી મોટી મુશ્કેલી પેપર ઓનલાઈન અને પરીક્ષાના એક કલાક પહેલાં પહોંચાડવાના છે. હજુ પણ યુનિવર્સિટીની મોટાભાગની પરીક્ષામાં પ્રશ્નપત્ર ઓફલાઈન જ મોકલવામાં આવશે કારણ કે ઓનલાઈન પેપર મોકલવાની સચોટ અને નક્કર સિસ્ટમ હજુ સુધી અમલી થઇ નથી.

5 એપ્રિલથી જે પરીક્ષા શરૂ થવાની છે તેમાં સૌથી વધુ બી.કોમ. સેમેસ્ટર-6 રેગ્યુલરના 16,293 વિદ્યાર્થી, બીએ સેમેસ્ટર-6 રેગ્યુલરના 10,901, બીએસસી સેમેસ્ટર-6ના 3011, બીસીએ સેમેસ્ટર-6ના 2981, બીબીએ સેમેસ્ટર-6ના 2478, એલએલબી સેમેસ્ટર-6ના 1637, એમ.કોમ સેમેસ્ટર-4ના એક્સટર્નલના 2163 અને રેગ્યુલરના 1143, એમએ ઓલ સેમેસ્ટર-4ના 1738, બીએ સેમેસ્ટર-6 એક્સટર્નલના 2805 વિદ્યાથીઓ પરીક્ષા આપવાના છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow