ઠંડીની સિઝનમાં તરસ ઓછી લાગે તો પણ પાણી પીતા રહેજો, નહીંતર થઇ જશો આ ગંભીર બીમારીના શિકાર

ઠંડીની સિઝનમાં તરસ ઓછી લાગે તો પણ પાણી પીતા રહેજો, નહીંતર થઇ જશો આ ગંભીર બીમારીના શિકાર

પાણી વ્યક્તિના શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે. પાણીની ઉણપથી શરીરમાં અનેક પ્રકારના રોગો થવા લાગે છે. પાણીની ઉણપને કારણે શરીરને અનેક પ્રકારનું નુકસાન થાય છે. મહિલાઓએ દરરોજ ૨.૭ લિટર અને પુરુષોએ ૩.૭ લિટર પાણી પીવું જરૂરી છે, પરંતુ અનેક લોકો પર્યાપ્ત માત્રામાં પાણી પીતા નથી. ખાસ કરીને ઠંડીની સિઝનમાં મોટાભાગનાં લોકોથી પાણી ઓછુ પીવાતુ હોય છે. કેમકે આ સીઝનમાં પાણીની તરસ પણ ઓછી લાગે છે.

ઓછું પાણી પીવાથી થઈ શકે છે આ બીમારીઓ
ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઇ જાય છે જેના કારણે કબજિયાત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય પાણીની ઉણપથી માથાના દુખાવો, થાક, ચક્કર, નબળાઇ, મોં સુકાઇ જવું, લો બ્લડ પ્રેશર, પગમાં સોજા પણ આવી શકે છે.

પાણીની ઉણપથી શરીર ડિહાઇડ્રેટ થતુ જાય
ઘણાં બધા લોકો શરીરમાં પાણીની ઉણપને ગંભીરતાથી લેતા નથી, પરંતુ આ વાતને તમારે ધ્યાનમાં લેવી જરૂરી છે કારણકે પાણીની ઉણપથી અનેક ગંભીર બીમારીઓ થઇ શકે છે. ઓછી તરસ લાગે તેનો અર્થ એ નથી કે તમારા શરીરને પાણીની જરૂરિયાત નથી. પાણીની ઉણપથી શરીર ધીરે-ધીરે ડિહાઇડ્રેટ થતુ જાય છે. ડિહાઇડ્રેશન શરીરના મુખ્ય અંગો પર ખરાબ અસર પાડે છે.

પાણી દરેક વ્યક્તિના શરીરમાં મહત્વનું કામ કરે છે. તે તમને હાઇડ્રેટેડ રાખે છે અને સાથે ત્વચાની ચમક જાળવી રાખે છે. પાચન કરવામાં પણ પાણી મહત્વનો ભાગ ભજવે છે. ડિહાઇડ્રેશનને કારણે મૂડ સ્વિંગની સમસ્યા, શરીરનું તાપમાન વધવુ, કિડની સ્ટોન અને કબજીયાત જેવી તકલીફો પણ થઇ શકે છે. પાણીની ઉણપને કારણે લાંબા સમયે તમને પેટની બીમારીઓ પણ થઇ શકે છે.

શરીરમાં પાણીની ઉણપ છે તે કેમ ખ્યાલ આવે?
શરીરમાં પાણીની ઉણપને કારણે ભૂખ વધારે લાગે છે. કંઇને કંઇ નવુ ખાવાનું ક્રેવિંગ રહેતુ હોય છે. એવામાં અચાનક ભૂખ લાગવી પણ પાણીની ઉણપ હોવાનો એક સંકેત છે. લો બ્લડ પ્રેશર, થાક, માથાનો દુખાવો, ગભરામણ અને વધારે ઊંઘ આવવી પણ શરીરમાં પાણીની ઉણપનો ઇશારો કરે છે. એવામાં ભરપૂર માત્રામાં પાણી પીઓ અને આ બીમારીઓને દૂર કરો.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow