ઠંડીની સિઝનમાં તરસ ઓછી લાગે તો પણ પાણી પીતા રહેજો, નહીંતર થઇ જશો આ ગંભીર બીમારીના શિકાર

ઠંડીની સિઝનમાં તરસ ઓછી લાગે તો પણ પાણી પીતા રહેજો, નહીંતર થઇ જશો આ ગંભીર બીમારીના શિકાર

પાણી વ્યક્તિના શરીર માટે સૌથી જરૂરી વસ્તુ છે. પાણીની ઉણપથી શરીરમાં અનેક પ્રકારના રોગો થવા લાગે છે. પાણીની ઉણપને કારણે શરીરને અનેક પ્રકારનું નુકસાન થાય છે. મહિલાઓએ દરરોજ ૨.૭ લિટર અને પુરુષોએ ૩.૭ લિટર પાણી પીવું જરૂરી છે, પરંતુ અનેક લોકો પર્યાપ્ત માત્રામાં પાણી પીતા નથી. ખાસ કરીને ઠંડીની સિઝનમાં મોટાભાગનાં લોકોથી પાણી ઓછુ પીવાતુ હોય છે. કેમકે આ સીઝનમાં પાણીની તરસ પણ ઓછી લાગે છે.

ઓછું પાણી પીવાથી થઈ શકે છે આ બીમારીઓ
ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઇ જાય છે જેના કારણે કબજિયાત જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય પાણીની ઉણપથી માથાના દુખાવો, થાક, ચક્કર, નબળાઇ, મોં સુકાઇ જવું, લો બ્લડ પ્રેશર, પગમાં સોજા પણ આવી શકે છે.

પાણીની ઉણપથી શરીર ડિહાઇડ્રેટ થતુ જાય
ઘણાં બધા લોકો શરીરમાં પાણીની ઉણપને ગંભીરતાથી લેતા નથી, પરંતુ આ વાતને તમારે ધ્યાનમાં લેવી જરૂરી છે કારણકે પાણીની ઉણપથી અનેક ગંભીર બીમારીઓ થઇ શકે છે. ઓછી તરસ લાગે તેનો અર્થ એ નથી કે તમારા શરીરને પાણીની જરૂરિયાત નથી. પાણીની ઉણપથી શરીર ધીરે-ધીરે ડિહાઇડ્રેટ થતુ જાય છે. ડિહાઇડ્રેશન શરીરના મુખ્ય અંગો પર ખરાબ અસર પાડે છે.

પાણી દરેક વ્યક્તિના શરીરમાં મહત્વનું કામ કરે છે. તે તમને હાઇડ્રેટેડ રાખે છે અને સાથે ત્વચાની ચમક જાળવી રાખે છે. પાચન કરવામાં પણ પાણી મહત્વનો ભાગ ભજવે છે. ડિહાઇડ્રેશનને કારણે મૂડ સ્વિંગની સમસ્યા, શરીરનું તાપમાન વધવુ, કિડની સ્ટોન અને કબજીયાત જેવી તકલીફો પણ થઇ શકે છે. પાણીની ઉણપને કારણે લાંબા સમયે તમને પેટની બીમારીઓ પણ થઇ શકે છે.

શરીરમાં પાણીની ઉણપ છે તે કેમ ખ્યાલ આવે?
શરીરમાં પાણીની ઉણપને કારણે ભૂખ વધારે લાગે છે. કંઇને કંઇ નવુ ખાવાનું ક્રેવિંગ રહેતુ હોય છે. એવામાં અચાનક ભૂખ લાગવી પણ પાણીની ઉણપ હોવાનો એક સંકેત છે. લો બ્લડ પ્રેશર, થાક, માથાનો દુખાવો, ગભરામણ અને વધારે ઊંઘ આવવી પણ શરીરમાં પાણીની ઉણપનો ઇશારો કરે છે. એવામાં ભરપૂર માત્રામાં પાણી પીઓ અને આ બીમારીઓને દૂર કરો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow