શિયાળામાં તરસ ન લાગે તેમ છતાં પીતાં રહો પાણી, નહીંતર થઈ શકે છે આ ગંભીર બીમારી

શિયાળામાં તરસ ન લાગે તેમ છતાં પીતાં રહો પાણી, નહીંતર થઈ શકે છે આ ગંભીર બીમારી

ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે

પાણી માણસના શરીર માટે સૌથી જરૂરી છે. પાણીની કમીના કારણે શરીરને ઘણા નુકસાન સહન કરવા પડી શકે છે. તબીબો મુજબ મહિલાઓ માટે દરરોજ 2.7 લીટર અને પુરૂષો માટે 3.7 લીટર પાણી જરૂરી છે. પરંતુ તમે ઘણી વખત પૂરતી માત્રામાં પાણી પીવાનુ ભૂલી જાઓ છો. ખાસ કરીને શિયાળાની સિઝનમાં વારંવાર તરસ ઓછી લાગવાના કારણે તમે ઓછુ પાણી પીવો છો. ઓછુ પાણી પીવાથી શરીરમાં ડિહાઈડ્રેશન થાય છે, જેનાથી કબજીયાત જેવી ગંભીર સમસ્યા થઇ શકે છે. ડીહાઈડ્રેશનથી શરીરના મુખ્ય અવયવો પર ખરાબ અસર પડે છે.

પાણીની કમીથી થાય છે કબજીયાત

પાણી તમારા શરીર માટે ખૂબ કામ કરે છે. આ તમને હાઈડ્રેટેડ રાખે છે, સ્કિનની ચમક બનાવે છે અને ભોજનને તોડીને તેને પાચનમાં પણ  સહાયતા કરે છે. તેથી તમારા વૉટર ઈનટેક એટલેકે પાણી પીવાની માત્રા પર નજર રાખવી મહત્વપૂર્ણ છે, કારણકે આમ ના કરવાથી તમને ડિહાઈડ્રેશન થઇ શકે છે, જેનાથી તમને મૂડ સ્વિંગની સમસ્યા, શરીરનુ તાપમાન વધવુ, કિડની સ્ટોન અને કબજીયાત જેવી પરેશાની થઇ શકે છે. પાણીની કમી કબજીયાતને આમંત્રણ આપે છે, જેનાથી આગળ જતા તમને પેટની ઘણી બિમારીઓ થઇ શકે છે. સતત પાણીની કમી કબજીયાતને વધુ બગાડી દે છે.

આ લક્ષણોથી જાણો શરીરમાં થઇ ગઇ છે પાણીની કમી

શરીરમાં પાણીની કમી થતા અથવા ડિહાઈડ્રેશનના શિકાર લોકોને સામાન્ય લોકોની તુલનામાં ભૂખ ઘણી વધારે લાગે છે. તેમને કઈકને કઈક ખાવાની  ક્રેવિંગ થતી રહે છે. એવામાં અચાનક ભૂખ વધવી પણ પાણીની કમીનો સંકેત આપે છે. લો બ્લડ પ્રેશર, થાક, માથામાં દુ:ખાવો, ગભરાહટ અને વધુ ઊંઘ આવવી પણ શરીરમાં પાણીની કમી તરફ ઈશારો કરે છે. એવામાં ભરપૂર માત્રામાં પાણી પીને આ લક્ષણોને દૂર કરી શકાય છે.

ડિહાઈડ્રેશનથી બચવાની રીત

ડિહાઈડ્રેશનથી બચવા માટે સૌથી પહેલા તો ખૂબ પાણી પીવુ જરૂરી છે. પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે આખો દિવસ પાણી પીવો. શરીરને દરેક સમયે પાણીની જરૂર પડે છે. સવારની શરૂઆત પાણીથી કરો અને રાત્રે એક ગ્લાસ પાણી પીને ઊંઘી જાઓ. તમે પાણી પીવા માટે રિમાઈન્ડર પણ સેટ કરી શકો છો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow