હિન્દુઓ પણ તીર્થોને પ્રવાસન સ્થળ ન બનવા દે

હિન્દુઓ પણ તીર્થોને પ્રવાસન સ્થળ ન બનવા દે

જો આપણે તીર્થોનું મહત્ત્વ સમજ્યા હોત તો દેવભૂમિ ઉત્તરાખંડની આ સ્થિતિ ના હોત! જૈન સમાજે જે રીતે તેમના તીર્થ સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ બનતું રોકવા સંઘર્ષ કર્યો તે આદર કરવા યોગ્ય છે. હિન્દુ સમાજ પણ સમજી લે કે તીર્થ અને પ્રવાસન સ્થળ જુદાં છે. જોશીમઠ સહિત ઉત્તરાખંડને પ્રવાસન સ્થળ બનાવી દીધું છે. અહીં જમીનો ફાટી રહી છે. કુદરત જવાબ આપી રહી છે. જોશીમઠના લોકો ગુસ્સામાં છે. સરકાર મોડી જાગી છે. ઘરોમાં તિરાડો અચાનક નથી પડી. આ ઘટના લાંબા સમયથી ચાલી રહી છે.

હકીકતમાં જોશીમઠના અનેક વિસ્તારમાં સતત વિસ્ફોટો કરાઇ રહ્યા છે. 2005 પછી અહીં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, ત્યારે અહીં લાંબી સુરંગ બની અને તેના માટે ટીબીએમ એટલે કે ટનલ બોરિંગ મશીન મંગાવાયું. આ મશીનો સામાન્ય રીતે મજબૂત વસ્તુને કાપે છે, પરંતુ તેનાથી જોશીમઠની જમીન ખોદવાનું શરૂ થયું. ધ્રુજારીઓ અનુભવાઇ અને ઘણી જમીન કાદવ-કીચડમાં પરિવર્તિત થઇ ગઇ. જોશીમઠને ઘણું નુકસાન થયું અને લોકોએ મકાન છોડવા પડી રહ્યાં છે. અમને વિશ્વાસ છે કે આપત્તિઓ વચ્ચે પણ જોશીમઠ સુરક્ષિત રહેશે. 2008માં ગંગાસેવા અભિયાનની શરૂઆતમાં સ્વરૂપાનંદ સરસ્વતીએ મોટા પ્રોજેક્ટથી આફતની ચેતવણી આપી હતી. એવું જ થયું. આપણે સંતોની વાણીનો આદર કરવો જોઇએ. મારી અપીલ છે કે, આપત્તિના સમયમાં રાજકીય આરોપ-પ્રત્યારોપ ના થાય. આ લોકોની મદદ કરવાનો સમય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow