ભૂલથી પણ ઘરની આ જગ્યાઓ પર દવાઓ ન રાખતા, નહીં તો પરિવારના સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન

ભૂલથી પણ ઘરની આ જગ્યાઓ પર દવાઓ ન રાખતા, નહીં તો પરિવારના સ્વાસ્થ્યને થઇ શકે છે મોટું નુકસાન

વાસ્તુ શાસ્ત્રમાં રસોડામાં અમુક વસ્તુઓ મુકવાની મનાઈ કરવામાં આવી છે. રસોડામાં બળવા-વાગવાનો ખતરો વધારે હોય છે. જેના કારણે ઘણા લોકો ફર્સ્ટ એડ બોક્સ, એટલે દવાઓનો ડબ્બો રસોડામાં મુકે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં કોઈ પણ દવાઓનો ડબ્બો ન રાખવો જોઈએ.

ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પડે છે અસર
રસોડામાં દવાઓ રાખવાથી ઘરના સદસ્યોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. હંમેશા તેમના સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ રહે છે. કોઈ ને કોઈ નાની મોટી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા રહે છે. માટે ધ્યાન રાખો કે ભૂલથી પણ કોઈ પણ દવાઓના ડબ્બા રસોડામાં ન રાખો નહીં તો ઘરના લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ શકે છે.

આ વાતોનું રાખો ધ્યાન
વાસ્તુ અનુસાર ક્યારેય પણ કોઈ પણ દવાઓને દક્ષિણ-પૂર્વ દિશામાં ન રાખો, કારણ કે આ દિશામાં દવા રાખવાથી બીમારી લાંબા સમય સુધી રહે છે. તેની સાથે જ તમારે શારીરિક અને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

દવાઓને પશ્ચિમ દિશામાં પણ ન રાખવી જોઈએ. તેનાથી દર્દીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દવાઓને હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ. વાસ્તુમાં આ દિશોને શુભ માનવામાં આવે છે.

ક્યારેય પણ દવાઓને પોતાના માથાની જોડે ન રાખો કે આસપાસ ન રાખો. આમ કરવાથી રાહુ-કેતુનો પ્રભાવ પડે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow