Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
junagadh

જૂનાગઢનો ભવનાથ વિસ્તાર તીર્થક્ષેત્ર તરીકે વિકસે એ પહેલાં જ ગુંડાઓની ચુંગાલમાં ફસાયો

Gujaratnow2 min read
જૂનાગઢનો ભવનાથ વિસ્તાર તીર્થક્ષેત્ર તરીકે વિકસે એ પહેલાં જ ગુંડાઓની ચુંગાલમાં ફસાયો

જૂનાગઢ એટલે દેવાધિદેવ ભવનાથ દાદાના સાનિધ્યમાં વસેલું નગર આ શહેરની સૌથી પહેલી ઓળખ ભવનાથનો મેળો છે. જે જૂનાગઢને વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન અપાવે છે. જ્યાં કુદરતે અપાર સૌંદર્ય વેર્યું છે એવી આ પહાડો અને જંગલની સમૃદ્ધિના વિસ્તારમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. પરંતુ દેવનગરી એવા આ વિસ્તારમાં લોકોની આવનજાવન વધતાં ગુંડાઓએ પણ માતેલા સાંઢ બનીને પગપેસારો શરુ કર્યો અને તંત્રએ ધ્યાન ન આપ્યું એટલે ચિલ્લર દાદાઓ ફૂટી નીકળયા છે.

ત્યારે શાંતિપ્રિય જનતા મૌન ભલે હોય, સમય આવે ત્યારે જવાબ તો આપે જ એવી સ્થિતિ વચ્ચે જૂનાગઢમાં ગુંડાગીરી સામે અવાજ ઉઠ્યો છે. ભવનાથ વિસ્તાર આમ તો વનવિભાગના અધિકાર હેઠળ જ આવતો હોય તેવી સ્થિતિ છે. આ વિસ્તારમાં મહાનગરપાલિકાનું વજૂદ નથી. જાણે ધણીધોરી વગરનો વિસ્તાર હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભવનાથ વિસ્તારમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેનું મેદાન એકમાત્ર ખાલી જગ્યા છે. આ જમીન આમ તો કૃષિ યુનિવર્સીટીની માલિકીની છે.

લીલી પરિક્રમા સમયે હજારો પોલીસ જવાનો ફરજ ઉપર હોય
પણ તેનો ઉપયોગ નાના ધંધાર્થીઓ રોજીરોટી માટે કરે છે. અને એટલે જ અહીં ભૂલકાઓ પણ આકર્ષાઇ રહ્યા છે. માલિકી ન હોવા છતાં નાના ધંધાર્થીઓ પાસેથી ભાડું અથવા વેરો ઉઘરાવતી મહાનગરપાલિકા અહીં સલામતી માટેની કોઇ જવાબદારી લેતી નથી. ભવનાથ વિસ્તારમાં રજાઓ અને તહેવારો સમયે લાખો લોકો ઉમટી પડે છે. પણ સલામતીનો પ્રશ્ન ઉભો થતાં લોકોમાં ભયનો માહોલ છે. અહીં ભવ્ય પોલીસ મથક ઉભું કરવામાં આવ્યું છે. કારણકે, મહાશિવરાત્રીના મેળામાં અને લીલી પરિક્રમા સમયે હજારો પોલીસ જવાનો ફરજ ઉપર હોય છે.

અહીં ગુંડાગીરી અને લુખાગીરી બેફામ બની ​​​​​​​
પરંતુ એ સિવાયના દિવસોમાં અહીં ગુંડાગીરી અને લુખાગીરી બેફામ બની છે. સાંજ પડે એટલે ભવનાથ વિસ્તાર મંદિરોમાં આરતીના નાદથી ગુંજી ઉઠે છે. પણ એ પછી શરુ થાય છે આવારાગીરી. બેફામ બનીને મોટરસાયક્લો દોડાવવા, અશ્વોને દોડાવવા, આડેધડ પાર્કિંગ, એ બધું એટલું વધી જાય કે અહીં આવતા પ્રવાસીઓ અને શાંતિપ્રિય જનતાએ જગ્યા છોડવી પડે. આ સમયે અહીં સુરક્ષાની કોઈ વ્યવસ્થા હોતી નથી. માત્ર રાત્રે 12 વાગે પોલીસ ધંધા રોજગાર બંધ કરાવવા નીકળે અને જનતાને ઘરે જવા દબાણ કરે.

Gujaratnow2 min read

Related News