જૂનાગઢનો ભવનાથ વિસ્તાર તીર્થક્ષેત્ર તરીકે વિકસે એ પહેલાં જ ગુંડાઓની ચુંગાલમાં ફસાયો

જૂનાગઢનો ભવનાથ વિસ્તાર તીર્થક્ષેત્ર તરીકે વિકસે એ પહેલાં જ ગુંડાઓની ચુંગાલમાં ફસાયો

જૂનાગઢ એટલે દેવાધિદેવ ભવનાથ દાદાના સાનિધ્યમાં વસેલું નગર આ શહેરની સૌથી પહેલી ઓળખ ભવનાથનો મેળો છે. જે જૂનાગઢને વિશ્વના પ્રવાસન નકશામાં સ્થાન અપાવે છે. જ્યાં કુદરતે અપાર સૌંદર્ય વેર્યું છે એવી આ પહાડો અને જંગલની સમૃદ્ધિના વિસ્તારમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. પરંતુ દેવનગરી એવા આ વિસ્તારમાં લોકોની આવનજાવન વધતાં ગુંડાઓએ પણ માતેલા સાંઢ બનીને પગપેસારો શરુ કર્યો અને તંત્રએ ધ્યાન ન આપ્યું એટલે ચિલ્લર દાદાઓ ફૂટી નીકળયા છે.

ત્યારે શાંતિપ્રિય જનતા મૌન ભલે હોય, સમય આવે ત્યારે જવાબ તો આપે જ એવી સ્થિતિ વચ્ચે જૂનાગઢમાં ગુંડાગીરી સામે અવાજ ઉઠ્યો છે. ભવનાથ વિસ્તાર આમ તો વનવિભાગના અધિકાર હેઠળ જ આવતો હોય તેવી સ્થિતિ છે. આ વિસ્તારમાં મહાનગરપાલિકાનું વજૂદ નથી. જાણે ધણીધોરી વગરનો વિસ્તાર હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભવનાથ વિસ્તારમાં જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેનું મેદાન એકમાત્ર ખાલી જગ્યા છે. આ જમીન આમ તો કૃષિ યુનિવર્સીટીની માલિકીની છે.

લીલી પરિક્રમા સમયે હજારો પોલીસ જવાનો ફરજ ઉપર હોય
પણ તેનો ઉપયોગ નાના ધંધાર્થીઓ રોજીરોટી માટે કરે છે. અને એટલે જ અહીં ભૂલકાઓ પણ આકર્ષાઇ રહ્યા છે. માલિકી ન હોવા છતાં નાના ધંધાર્થીઓ પાસેથી ભાડું અથવા વેરો ઉઘરાવતી મહાનગરપાલિકા અહીં સલામતી માટેની કોઇ જવાબદારી લેતી નથી. ભવનાથ વિસ્તારમાં રજાઓ અને તહેવારો સમયે લાખો લોકો ઉમટી પડે છે. પણ સલામતીનો પ્રશ્ન ઉભો થતાં લોકોમાં ભયનો માહોલ છે. અહીં ભવ્ય પોલીસ મથક ઉભું કરવામાં આવ્યું છે. કારણકે, મહાશિવરાત્રીના મેળામાં અને લીલી પરિક્રમા સમયે હજારો પોલીસ જવાનો ફરજ ઉપર હોય છે.

અહીં ગુંડાગીરી અને લુખાગીરી બેફામ બની ​​​​​​​
પરંતુ એ સિવાયના દિવસોમાં અહીં ગુંડાગીરી અને લુખાગીરી બેફામ બની છે. સાંજ પડે એટલે ભવનાથ વિસ્તાર મંદિરોમાં આરતીના નાદથી ગુંજી ઉઠે છે. પણ એ પછી શરુ થાય છે આવારાગીરી. બેફામ બનીને મોટરસાયક્લો દોડાવવા, અશ્વોને દોડાવવા, આડેધડ પાર્કિંગ, એ બધું એટલું વધી જાય કે અહીં આવતા પ્રવાસીઓ અને શાંતિપ્રિય જનતાએ જગ્યા છોડવી પડે. આ સમયે અહીં સુરક્ષાની કોઈ વ્યવસ્થા હોતી નથી. માત્ર રાત્રે 12 વાગે પોલીસ ધંધા રોજગાર બંધ કરાવવા નીકળે અને જનતાને ઘરે જવા દબાણ કરે.

Read more

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

શિવરાજગઢમાં ઘર કંકાસથી ત્રાસી પરિણીતાએ ફાંસો ખાધો

ગોંડલના શિવરાજગઢ ગામે રહેતી 20 વર્ષીય પરિણીતા પૂજાબેન મકવાણાએ ગૃહ કંકાસથી કંટાળીને પોતાના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યા

By Gujaratnow
સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરતમાં અસામાજિક તત્વોએ ગણપતિ બાપાના બેનરો ફાડ્યા

સુરત શહેરના વેસુ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ બાપાના આગમનના બેનરોમાં ફાડવામાં આવતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના ગુ

By Gujaratnow