Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🪙 Business

ગરીબોને લોન આપીને 70 હજાર કરોડનું સામ્રાજ્ય સ્થાપ્યું

Gujaratnow2 min read
ગરીબોને લોન આપીને 70 હજાર કરોડનું સામ્રાજ્ય સ્થાપ્યું

હું સુખી લોકોની જિંદગી સરળ બનાવવા નહોતો ઈચ્છતો પણ જે લોકો પરેશાન છે તેમનાં દુઃખ જ દૂર કરવા ઈચ્છતો હતો.’ આ શબ્દો છે શ્રીરામ ગ્રૂપના સ્થાપક આર. ત્યાગરાજનના. તેમણે તેમની રૂ. છ હજાર કરોડની સંપૂર્ણ સંપત્તિ 44 કર્મચારીને સોંપી દીધી છે. હવે તેમની પાસે ફક્ત એક ઘર અને કાર છે. ત્યાગરાજને 1974માં શ્રીરામ ફાઈનાન્સનો પાયો નાંખ્યો હતો. હવે તે દેશની અગ્રણી એનબીએફસી કંપની છે. રૂ. 70,500 કરોડનું મૂલ્ય ધરાવતા આ ગ્રૂપમાં એક લાખ, આઠ હજાર કર્મચારી છે. લોકોમાં ‘આરટી’ના નામે પ્રખ્યાત ત્યાગરાજન 86 વર્ષના છે અને હવે તેઓ આ ગ્રૂપમાં સલાહકાર છે.

હાલના ગ્રાહકોના રેફરન્સ પર જ વિશ્વાસ રાખીશુંઃ આરટી
‘હું આ બિઝનેસમાં એ સાબિત કરવા આવ્યો હતો કે ક્રેડિટ હિસ્ટ્રી વિના કે ચોક્કસ આવક ધરાવતા લોકોને લોન આપવી એટલી જોખમી નથી, જેટલું તે માની લેવાયું છે. કોલકાતામાં ત્રણ વર્ષ રહ્યા પછી બે દસકા ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સમાં વિતાવ્યા. આ દરમિયાન લોકો જૂની ટ્રક ખરીદવા માટે મદદ માંગતા પણ બેન્કો ના પાડી દેતી. તેથી મેં મારા સ્તરે તેમને લોન આપી અને એ સાઈડ બિઝનેસ જ મારું મુખ્ય કામ થઈ ગયું. 37 વર્ષની ઉંમરે મેં મિત્રો સાથે શ્રીરામ ગ્રૂપની શરૂઆત કરી. એ વખતે ટ્રક ફાઈનાન્સમાં લોકો 80% સુધીના દરે પેમેન્ટ કરતા હતા કારણ કે બેન્ક તેમને લોન નહોતી આપતી. મેં તે પદ્ધતિ તોડવાનો નિર્ણય કર્યો અને નક્કી કર્યું કે અમે ક્રેડિટ સ્કોર નહીં જોઈએ. તેનું કારણ એ હતું કે મોટા ભાગના ગ્રાહકો એ ફાઈનાન્સ સિસ્ટમનો હિસ્સો નથી. તેથી અમે અમારા ગ્રાહકો દ્વારા અપાતા રેફરન્સ પર વિશ્વાસ કરતા. આ રીતે 30 મોટી કંપનીનું એક મોટું ગ્રૂપ સ્થપાઈ ગયું. સ્ટાફનો પગાર બજારની તુલનામાં ઓછો રાખ્યો.

Gujaratnow2 min read

Related News