એશિયાને ચીનના દેવામાંથી મુક્ત કરાવવા જાપાનનો પ્લાન તૈયાર

એશિયાને ચીનના દેવામાંથી મુક્ત કરાવવા જાપાનનો પ્લાન તૈયાર

ચીનના દેવાની જાળમાંથી છુટકારા માટે જાપાનની નવી સરકારે એક મોટો પ્લાન બનાવ્યો છે. ચીનનું વર્ચસ્વ ઘટાડવા માટે જાપાને પોતાના મજબૂત અર્થતંત્રને હથિયાર બનાવ્યું છે. આ ક્રમમાં જાપાને સૌથી પહેલાં વર્ષના અંતમાં ચીનના દેવાના ડુંગર તળે દબાયેલા શ્રીલંકાના પ્રતિનિધિઓને ટોક્યો બોલાવ્યા છે. શ્રીલંકા પર ચીનનું કુલ 60,756 કરોડનું દેવું છે. જે શ્રીલંકાના કુલ વિદેશી દેવાના 52 ટકા થવા જાય છે.

ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર હિનાટા-યામાગુચીએ કહ્યું હતું કે ચીન પોતાની ધિરાણ નીતિને લઈને ઘણું આગળ નીકળી ગયું છે. આગામી બેઠકમાં શ્રીલંકા ચીનના દેવાની જાળમાં વધુ ફસાય નહીં એના પર ફોકસ રહેશે. સાથે ચીન પાસેથી દેવું લેનાર અન્ય દેશોને પણ એલર્ટ કરવામાં આવશે. હાલમાં જ સોલોમન આઇલેન્ડ પણ ચીન પાસેથી લોન લેશે એવી વાત ચાલી હતી.

જાપાને ચીન પાસેથી ધિરાણ લેવા બદલ શ્રીલંકાને ઘણી ચેતવણીઓ આપી હતી છતાં પણ શ્રીલંકા સરકારે ચીન સરકાર પાસેથી હંબનટોટા પોર્ટ માટે 9,130 કરોડનું ધિરાણ લીધું હતું. શ્રીલંકા આ નાણાં ચૂકવી શક્યું નહીં. પરિણામે 2017માં એક ચીની કંપનીએ પોર્ટને 99 વર્ષની લીઝ પર મેળવી લીધું.

નેપાલ: રેલવે કરાર નહીં કરવા સમજાવટ
ચીન ટ્રાન્સ-હિમાલયન રેલવે લાઇન દ્વારા લ્હાસાથી કાઠમંડુને જોડવા માગે છે. નેપાલમાં 70 કિમી ટ્રેકનો ખર્ચ 39,840 કરોડ રૂપિયા છે. જાપાનનાં વિવિધ અખબારના રિપોર્ટ અનુસાર જાપાન સરકારે નેપાળ સરકારનો સંપર્ક કરીને આ રેલવે પ્રોજેક્ટ માટે ચીન પાસેથી ધિરાણ નહીં લેવા સમજાવ્યું હતું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow