એન્ટરપ્રાઇઝિસ અને ટ્રાન્સમિશન 21,000 કરોડનું ફંડ એકઠું કરશે

એન્ટરપ્રાઇઝિસ અને ટ્રાન્સમિશન 21,000 કરોડનું ફંડ એકઠું કરશે

અદાણી ગ્રૂપની ત્રણ કંપનીઓ 41 હજાર કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ ત્રણ કંપનીઓમાં જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ સિવાય અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ થાય છે. એન્ટરપ્રાઇઝ અને ટ્રાન્સમિશન બંને કંપનીઓના બોર્ડે શનિવારે (13 મે) બજારમાંથી ભંડોળ એકત્ર કરવાની યોજનાને પણ મંજૂરી આપી દીધી છે.

એન્ટરપ્રાઇઝિસ રૂ. 12,500 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. બીજી તરફ, અદાણી ટ્રાન્સમિશન રૂ. 8,500 કરોડનું ભંડોળ એકત્ર કરશે. આ રીતે બંને કંપનીઓ કુલ 21,000 કરોડ રૂપિયા એકત્ર કરશે. બંને કંપનીઓએ તેમની બોર્ડ મીટિંગ બાદ અલગ-અલગ સ્ટોક એક્સચેન્જ રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી છે.

એન્ટરપ્રાઇઝિસ-ટ્રાન્સમિશન આ રીતે ભંડોળ એકત્ર કરશે
ફાઇલિંગમાં બંને કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) અને અન્ય અનુમતિપાત્ર મોડ્સ દ્વારા ઇક્વિટી શેર અથવા અન્ય પાત્ર સિક્યોરિટીઝનું વેચાણ કરીને ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

ગ્રીન એનર્જીની બોર્ડ મીટિંગ 24 મેના રોજ મળશે
આ દરમિયાન અદાણી ગ્રીન એનર્જીએ ફંડ એકત્ર કરવાની યોજના પર વિચારણા કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકની તારીખ લંબાવીને 24 મે કરી છે. અગાઉ આ બેઠક આજે એટલે કે શનિવાર, 13 મેના રોજ યોજાવાની હતી. થોડા દિવસો પહેલા બ્લૂમબર્ગે જણાવ્યું હતું કે ત્રણેય કંપનીઓ 5 બિલિયન ડોલર એટલે કે 41,000 કરોડ રૂપિયા સુધીનું ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

Read more

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં ૮૬.૨૫ % N.F.S.A. રેશનકાર્ડ ધારકોનાં e-KYC ની કામગીરી પૂર્ણ

“અન્ન સુરક્ષા હવે માત્ર હક્ક નથી, ગુજરાત સરકાર માટે આ જનહિતની શ્રેષ્ઠતા છે" - મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ગરીબ કલ્યાણ અન્ન યોજના

By Gujaratnow
બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

બામણબોરના ખેડૂતભાઈઓ માટે ખુશીના સમાચાર! રૂ ૨૬.૮૭ કરોડના ખર્ચે નવી સિંચાઈ યોજના શરૂ

"ખેડૂતોને તેમના ખેતરમાં જ પાણીનું સંગ્રહ બનાવવાની 'ખેત તલાવડી' યોજના સરકાર દ્વારા અમલી" - મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા આ યોજના

By Gujaratnow
અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન ક્રેશઃ માત્ર 32 સેકન્ડ હવામાં રહ્યું વિમાન

અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ 12 જુ

By Gujaratnow