એલન મસ્ક રાજીનામું આપશે!

એલન મસ્ક રાજીનામું આપશે!

એલન મસ્કે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ટ્વિટરના CEO તરીકે રાજીનામું આપી દેશે. તેઓએ કહ્યું હતું કે 'કોઈ મૂર્ખ વ્યક્તિ આ પદ માટે બરાબર જણાશે', ત્યારે જ તેઓ CEO તરીકે રાજીનામુ આપશે. હજુ બે દિવસ પહેલાં જ તેમણે તેના 122 મિલિયન ટ્વિટર યુઝર્સને પૂછ્યું હતું કે શું તેમણે સોશિયલ મીડિયા સાઇટના નેતા તરીકે પદ છોડવું જોઈએ? ત્યારે મોટાભાગના યુઝર્સે 'હા'માં જવાબ આપ્યો હતો.

ઓક્ટોબરના અંતમાં $44 બિલિયનમાં ટ્વિટર ખરીદનાર એલન મસ્કે ટ્વિટરની નવી પોલિસી અને અમુક કન્ટેન્ટના કારણે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો છે.

પોલ કરીને લોકોના મંતવ્ય માગ્યા
તેમણે બે દિવસ પહેલા એક ટ્વિટર પોલ કર્યો હતો, જેમાં તેમણે લોકેને પૂછ્યું હતું કે શું તે ટ્વિટરના CEO તરીકે રાજીનામું આપી દે? સર્વેમાં 17.5 મિલિયન મતો પડ્યા હતા. જેમાં 57%થી પણ વધુ લોકોએ 'હા'માં જવાબ આપ્યો હતો.

એલન મસ્કે ટ્વિટર પોલના રિઝલ્ટ પછી આડકતરી રીતે રિઝલ્ટ વિશે જણાવ્યું હતું. મસ્કે કહ્યું હતું કે તેઓ ટ્વિટરની પોલની પોલિસીને સુધારવા માગે છે. આમાં માત્ર સબ્સક્રિપ્શન લીધેલી વ્યક્તિ જ પોલ કરી શકશે.

મસ્કે કહ્યું 'કોઈ મુર્ખ વ્યક્તિ મળશે, ત્યારે જ રાજીનામુ આપીશ'
સોમવારે ટ્વિટર પોલની પોલિસી બદલાવવાનું કહ્યા પછી મંગળવારે મસ્કે વધુ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પદ માટે 'કોઈ મુર્ખ વ્યક્તિ મળશે, પછી જ રાજીનામુ આપીશ'. તેમણે વધુમાં કહ્યું હતું કે આ પછી હું માત્ર સોફ્ટવેર અને સર્વર ટીમનું જ સંચાલન કરીશ.

જોકે આ બધા પરથી હજુ સ્પષ્ટ થયું નથી કે તેઓ રાજીનામુ આપશે કે નહિ. કારણ કે તેઓએ અનેક વખત પોતાના નિવેદનોને ફેરવી તોડ્યા છે. ત્યારે આ બધી જ વાતો નકામી સાબિત થઈ શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow