એલન મસ્કને લાગી ગઈ લોકોની હાય, આવું કરનારો ઈતિહાસનો પહેલો શખ્સ બન્યો

એલન મસ્કને લાગી ગઈ લોકોની હાય, આવું કરનારો ઈતિહાસનો પહેલો શખ્સ બન્યો

છેલ્લા કેટલાય સમયથી એલન મસ્ક એનકને પ્રકારે  ચર્ચામાં રહે છે. તેવામાં આ વખતે એલન મસ્ક પોતાની સંપત્તિમાં થયેલા ઘટાડાને કારણે ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં મસ્ક 200 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા છે. આ માહિતી બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ દ્વારા અપાઈ છે. મહત્વનું છે કે જાન્યુઆરી 2021માં મસ્કની પ્રશ્નલ સંપત્તિ 200 બિલિયનને પર થઈ ગઈ હતી. જે દરમિયાન તેમણે એમેઝોનના માલિક જેફ બેઝોસને પણ પાછળ છોડી દીધા હતા.


નોંધનીય છે કે ઓક્ટોબર 2022 માં ટ્વિટર હસ્તક કર્યા બાદ મસ્કની કંપની ટેસ્લાના શેરમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે અને તેના જ કારણે આવુ થઈ રહ્યું છે. ટવીટરને હસ્તગત કરવા માટે મસ્કએ ટેસ્લાના શેર વેંચ્યા હતા.ટેસ્લાના શેરમાં તાજેતરના ઘટાડા બાદ 51 વર્ષીય મસ્કની કુલ નેટવર્થ ઘટીને 137 બિલિયન ડોલર થઈ ગઈ છે.

નવેમ્બર 2021માં મસ્કની સંપત્તિ 340 બિલિયન હતી

બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના આંકડા અનુસાર તાજેતરના સપ્તાહોમાં ટેસ્લાના શેરમાં ઘટાડાને પગલે મસ્કની સંપત્તિ 137 બિલિયન એટલે કે આશરે 11.33 લાખ કરોડ છે જેમા પણ ગત મંગળવારે તેમાં 11 ટકાનો ઘટાડો થયો છે. નોંધનિય છે કે 4 નવેમ્બર 2021ના રોજ મસ્કની સંપત્તિ વધીને 340 અબજ ડોલર થઈ ગઈ હતી. ત્યારબાદ મોટા પાયે કાતર ફરતા મસ્કની સંપત્તિમાં 200 બિલિયનથી વધુનો ઘટાડો થયો છે.ફ્રેન્ચ બિઝનેસ ટાયકૂન અને LVMH ના સ્થાપક બર્નાર્ડ આર્નોલ્ટે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનવા માટે એલોન મસ્કને પાછળ છોડી દીધા. છતાં પણ મસ્ક હજુ વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow