17 ઓક્ટો.થી મતદારયાદી સુધારણા, 5 જાન્યુ.એ આખરી યાદી પ્રસિદ્ધ થશે

17 ઓક્ટો.થી મતદારયાદી સુધારણા, 5 જાન્યુ.એ આખરી યાદી પ્રસિદ્ધ થશે

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણી નિર્ધારિત સમયે માર્ચથી મે 2024 વચ્ચે આવવાની સંભાવના છે અને તેના ભાગરૂપે મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે જે મુજબ આગામી તા.7મી ઓક્ટોબરથી મતદારયાદી સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થશે અને મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.5 જાન્યુઆરી, 2024ના રોજ થશે. મતદારયાદીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓની બદલી અને રજા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ભારતીય ચૂંટણી પંચની તા.1-1-24ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની સૂચના મુજબ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ 17 ઓક્ટોબરે કરવામાં આવશે. આ અંગેના હક્ક-દાવા અને વાંધા અરજીઓ 17 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કરી શકાશે. મતદારયાદી અંગેની ખાસ ઝુંબેશ તા.28 અને 29 ઓક્ટોબર તથા 4 અને 5 નવેમ્બરે યોજાશે જે અંગેના હક્ક-દાવા અને વાંધા અરજીઓનો નિકાલ 26 ડિસેમ્બર સુધીમાં કરવામાં આવશે તથા આ અદ્યતન મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી કરી આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની, ડેટા બેઝ અદ્યતન કરવાની અને પુરવણી યાદીઓ જનરેટ કરવાની કામગીરી તા.1-1-24 સુધીમાં કરવામાં આવશે તથા મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા.5-1-24ના રોજ કરવામાં આવશે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત બેન્ક, એલઆઈસી, યુનિવર્સિટી, બીપીસીએલ સહિતની 12થી વધુ કચેરીના હેડની વિગતો ચૂંટણી તંત્ર દ્વારા માગવામાં આવી છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow