Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Politics

ભરૂચને મહાનગર પાલિકાનો દરજજો મળે તે માટે પ્રયાસો

Gujaratnow1 min read
ભરૂચને મહાનગર પાલિકાનો દરજજો મળે તે માટે પ્રયાસો

ભરૂચ નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાની સ્થાપના 6 જૂલાઇ 1915ના રોજ કરવામાં આવી હતી. આજે ભરૂચ નગરપાલિકા 11 વોર્ડ સાથે 17 કિમીનો વ્યાપ ધરાવે છે. શહેરની સત્તાવાર વસતી 1.87 લાખ લોકોની છે. વર્ષ 2011થી ભરૂચ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજજો મળે તે માટે પ્રયાસો ચાલી રહ્યાં છે પણ સરકારમાંથી મંજૂરી મેળવવામાં સ્થાનિક નેતાગીરી વામણી પુરવાર થઇ રહી છે.

2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચમાં સદભાવના ઉપવાસ કર્યા ત્યારે ભરૂચને મહા નગરપાલિકા જાહેર કરવામાં આવે તેવી સંભાવના હતી પણ ભરૂચને મહા નગરપાલિકાના બદલે ભરૂચ– અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી 2017માં ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે તેવી સંભાવના હતી પણ છેલ્લી ઘડીએ સરકારે ડીંગો બતાવી દીધો હતો. રાજ્યમાં હવે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર આવી છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લાના ભાજપના આગેવાનોએ ભરૂચને મહાનગરપાલિકા બનાવવા રજૂઆત કરી છે.

Gujaratnow1 min read

Related News