ભરૂચને મહાનગર પાલિકાનો દરજજો મળે તે માટે પ્રયાસો

ભરૂચને મહાનગર પાલિકાનો દરજજો મળે તે માટે પ્રયાસો

ભરૂચ નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાની સ્થાપના 6 જૂલાઇ 1915ના રોજ કરવામાં આવી હતી. આજે ભરૂચ નગરપાલિકા 11 વોર્ડ સાથે 17 કિમીનો વ્યાપ ધરાવે છે. શહેરની સત્તાવાર વસતી 1.87 લાખ લોકોની છે. વર્ષ 2011થી ભરૂચ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજજો મળે તે માટે પ્રયાસો ચાલી રહ્યાં છે પણ સરકારમાંથી મંજૂરી મેળવવામાં સ્થાનિક નેતાગીરી વામણી પુરવાર થઇ રહી છે.

2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચમાં સદભાવના ઉપવાસ કર્યા ત્યારે ભરૂચને મહા નગરપાલિકા જાહેર કરવામાં આવે તેવી સંભાવના હતી પણ ભરૂચને મહા નગરપાલિકાના બદલે ભરૂચ– અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી 2017માં ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે તેવી સંભાવના હતી પણ છેલ્લી ઘડીએ સરકારે ડીંગો બતાવી દીધો હતો. રાજ્યમાં હવે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર આવી છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લાના ભાજપના આગેવાનોએ ભરૂચને મહાનગરપાલિકા બનાવવા રજૂઆત કરી છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow