ભરૂચને મહાનગર પાલિકાનો દરજજો મળે તે માટે પ્રયાસો

ભરૂચને મહાનગર પાલિકાનો દરજજો મળે તે માટે પ્રયાસો

ભરૂચ નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાની સ્થાપના 6 જૂલાઇ 1915ના રોજ કરવામાં આવી હતી. આજે ભરૂચ નગરપાલિકા 11 વોર્ડ સાથે 17 કિમીનો વ્યાપ ધરાવે છે. શહેરની સત્તાવાર વસતી 1.87 લાખ લોકોની છે. વર્ષ 2011થી ભરૂચ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજજો મળે તે માટે પ્રયાસો ચાલી રહ્યાં છે પણ સરકારમાંથી મંજૂરી મેળવવામાં સ્થાનિક નેતાગીરી વામણી પુરવાર થઇ રહી છે.

2011માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભરૂચમાં સદભાવના ઉપવાસ કર્યા ત્યારે ભરૂચને મહા નગરપાલિકા જાહેર કરવામાં આવે તેવી સંભાવના હતી પણ ભરૂચને મહા નગરપાલિકાના બદલે ભરૂચ– અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી 2017માં ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં આવે તેવી સંભાવના હતી પણ છેલ્લી ઘડીએ સરકારે ડીંગો બતાવી દીધો હતો. રાજ્યમાં હવે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર આવી છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લાના ભાજપના આગેવાનોએ ભરૂચને મહાનગરપાલિકા બનાવવા રજૂઆત કરી છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow