જિલ્લાની 491 પ્રાથમિક શાળામાં આધુનિકતા સાથે શિક્ષણ અપાશે

જિલ્લાની 491 પ્રાથમિક શાળામાં આધુનિકતા સાથે શિક્ષણ અપાશે

રાજકોટ જિલ્લામાં રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ હેઠળ 11 તાલુકાની 491 શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડી શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કરી શ્રેષ્ઠ શાળાઓ બનાવવામાં આવશે.

શિક્ષણની ગુણવતા સુધારવા સહિત ભૌતિક સુવિધાઓમાં પરિવર્તન લાવવા સાથે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સારી સુવિધા સાથોસાથ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓને સ્કુલ ઓફ એકસલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આધુનિક ભણતર થકી કારકિર્દી ઘડી શકે તેવા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં તાલુકાઓની જુદી જુદી 491 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ, રમત ગમતના સાધનો, વર્ગખંડમાં સુધારા, સહિતની ભૌતિક સુવિધાઓમાં વધારો કરી શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કરવા માટેનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં 35, ગોંડલમાં 67, જામકંડોરણામાં 18, જસદણમાં 69, જેતપુરમાં 38, કોટડા સાંગાણીમાં 27, લોધીકામાં 21, પડધરીમાં 29, રાજકોટમાં 86, ઉપલેટામાં 43 અને વિંછીયા તાલુકામાં 58 પ્રાથમિક શાળાઓમાં રાજ્ય સરકારના સ્કુલ ઓફ એકસલન્સ પ્રોજેક્ટ હેઠળ શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવશે.

સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટમાં જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 120થી વધારે હોય તેવી શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ આ તમામ શાળાઓમાં સ્કુલ ઓફ એકસલન્સ પ્રોજેક્ટ હેઠળ જરૂરી કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અશોક વાણવીએ જણાવ્યું હતું.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow