વધારે તીખું ખાવાથી એલર્જીની સાથે વજન પણ વધશે, તો પ્રમાણમાં ખાશો તો શરીરમાં ગરમી રહેશે

વધારે તીખું ખાવાથી એલર્જીની સાથે વજન પણ વધશે, તો પ્રમાણમાં ખાશો તો શરીરમાં ગરમી રહેશે

શિયાળાની ફુલગુલાબી ઠંડીથી છુટકારો મેળવવા માટે લોકો બધી જ ટેક્નિક અપનાવે છે. આ દિવસોમાં ખાવા-પીવાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આજે આપણે જાણીશું ક્યાં ખોરાકની તાસીર ઠંડી કે ક્યા ખોરાકની તાસીર ગરમ હોય છે તેને ધ્યાનમાં રાખીને ડાયટ નક્કી કરવામાં આવે છે.

પરંતુ જ્યારે મસાલાની કરવામાં વાત આવે છે ત્યારે લોકોમાં એવી માન્યતા છે કે, તમામ ગરમ મસાલા ગરમ હોય છે અને શિયાળામાં તો આ ગરમ મસાલા અચૂક ખાવા જોઈએ.  

આ જ કારણ છે કે આજકાલ લોકો ભોજનમાં ઘણાં મરચાં અને મસાલા ઉમેરવામાં આવે છે. પરંતુ કેટલીકવાર તેના ગેરફાયદા પણ હોય છે. જો એક પ્રમાણથી વધુ મસાલા ખાવામાં આવે તો ગરમી મળવાને બદલે ક્યારેક પાચનમાં ગડબડ થઇ જાય છે તો ક્યારેક એલર્જી અને વજન વધવાની સમસ્યા થાય છે.

આવી સ્થિતિમાં, નિષ્ણાત પાસેથી મસાલા ખાવાની સાચી રીત અને પ્રમાણ જાણી લો જેથી સ્વાદ અને સ્વાસ્થ્યની સાથે સાથે શિયાળામાં ગરમાવો પણ રહે.

દરેક મસાલાની અલગ તાસીર હોય છે
એવું નથી કે બધા મસાલા જ ગરમી આપે છે. કેટલાક મસાલા ગરમ તાસીર પણ ધરાવે છે અને કેટલાક ઠંડી તાસીર ધરાવે છે. 'ગરમ મસાલો'નો અર્થ એ નથી કે તે માત્ર ગરમી આપે છે. ગરમ મસાલામાં રહેલી એલચીની તાસીર ઠંડી હોય છે જ્યારે તજની તાસીર ગરમ હોય છે. આ સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, તમે જે મસાલા ખાઈ રહ્યા છો તે શિયાળાની ઋતુમાં તમારા શરીર પર કેવી અસર કરશે.

મોટાભાગના મસાલા તાસીર ગરમ હોય છે
ડાયટિશિયન ડૉ.વિજયશ્રી પ્રસાદ જણાવે છે કે, મોટાભાગના મસાલાથી શરીર ગરમ રહે છે. વિવિધ છોડમાંથી મેળવેલ મસાલા ખોરાકમાં રંગ અને સ્વાદ વધારે છે. તેની સાથે ગરમ મસાલામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન A, વિટામિન B6, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વો પણ મળી આવે છે.

મસાલામાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ પણ જોવા મળે છે. જે શિયાળામાં આપણું સ્વાસ્થ્ય સારું રાખે છે. તજ અને કાળા મરી જેવા ગરમ મસાલામાં જોવા મળતા તત્ત્વો શરદી અને ફ્લૂ સામે રક્ષણ આપે છે. પરંતુ મસાલા ત્યારે જ ફાયદાકારક છે જ્યારે તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. હળદર, તજ, હિંગ, આદુ, તુલસી, સરસવ જેવા મસાલાનો ઉપયોગ શિયાળામાં કરી શકાય છે.

જો યોગ્ય રીતે મસાલા લેવામાં આવે તો ઔષધી છે
ડૉ. વિજયશ્રી પ્રસાદ વધુમાં જણાવે છે કે, 'એ સાચું છે કે મસાલા આપણા શરીરને ગરમ રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. પરંતુ આ મસાલા ત્યારે જ ફાયદાકારક છે જ્યારે આપણે આપણા શરીરની જરૂરિયાતો અનુસાર યોગ્ય માત્રામાં તેનું સેવન કરીએ. વધુ પડતા મસાલા ખાવાથી એલર્જી, અપચો અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

ધાણા, ફુદીનો, લીલી ઈલાયચી અને વરિયાળી જેવા જડીબુટ્ટીઓ અને મસાલા ઠંડક આપે છે. શિયાળાની ઋતુમાં તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. બાય ધ વે, જો તમે કોઈપણ અસરવાળા મસાલા વધુ પડતા ખાશો તો તેનો મેટાબોલિઝમ ધીમો પડી જશે અને વજન વધવાની શક્યતા રહેશે. આ સિવાય વધુ પડતા મસાલા ખાવાથી પણ ઊંઘ ન આવવાની સમસ્યા પણ થઇ શકે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow