શરીરમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા ખાવ આ ફળો, નહીં રહે હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો

શરીરમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવા ખાવ આ ફળો, નહીં રહે હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો

આ વસ્તુઓ ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધે છે

ગુડ કોલેસ્ટ્રોલ લોહીમાં જામી જતા ફેટને ઘટાડે છે અને આપણી ધમનીઓને સાફ કરે છે. જેથી હ્રદય સુધી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઇ શકે. બેડ કોલેસ્ટ્રોલને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તેનું લેવલ વધવા પર તે ધમનીઓમાં જામવા લાગે છે અને આ કારણે હ્રદય સુધી જતો લોહીનો પ્રવાહ ઘટી જાય છે અને હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો રહે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જે ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય છે. જેમકે જંકફુડ, ફ્રાઇડ ફડ વગેરે. ડાયટમાં ફાઇબરયુક્ત ફ્રુટ્સ, શાકભાજી અને સાબુત અનાજને સામેલ કરવા જોઇએ, જે બેડ કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે. કેટલાંક ફળોમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ લેવલને વધતું રોકી શકાય છે. તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ફળો.

અવોકાડો

બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અવોકાડોનું સેવન જરૂર કરવું જોઇએ. અવોકાડોમાં વિટામિન કે, સી, બી૫, બી૬, ઇ અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે તમારા હાર્ટને હેલ્ધી રાખવાની સાથે સ્ટ્રોકના ખતરાને ઘટાડે છે. તે શરીરમાં ગુડ ફેટ અને બેડ ફેટના લેવલને મેનેજ કરે છે.

ટામેટાં

ટામેટાં અનેક પ્રકારનાં પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં વિટામિન એ, બી, કે અને સી મળી આવે છે. તે સ્કિન, આંખો અને દિલ માટે ફાયદાકારક છે. તેમાં પોટેશિયમની માત્રા સારી એવી હોય છે. તે કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર અને સ્ટ્રોકના ખતરાને ઘટાડે છે.

સફરજન

ડોક્ટર્સ રોજ એક સફરજન ખાવાની સલાહ આપે છે. કેમકે તેને ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓના ખતરાને ઘટાડી શકાય છે. તે કોલેસ્ટ્રોલ લેવલને પણ કન્ટ્રોલ કરે છે. સફરજનમાં પેક્ટિન નામનુ ફાઇબર મળી આવે છે. તે બેડ કોલેસ્ટ્રોલના ખતરાને ઘટાડવામાં મદદ કરે છે.

ખાટાં ફળો

લીંબુ, સંતરા, દ્રાક્ષ, સ્ટ્રોબેરી જેવાં ખાટાં ફળો તમારા કોલેસ્ટ્રોલ લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. ખાટા ફળોમાં હેસ્પેરિડિન હોય છે. જે હાઇ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને કોલેસ્ટ્રોલના ખતરાને ઘટાડે છે.

પપૈયું

પપૈયામાં ભરપુર માત્રામાં ફાઇબર હોય છે. તે બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવાની સાથે સાથે બેડ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે. એક મોટા પપૈયામાં  13 થી 14 ગ્રામ ફાઇબર હોય છે. રોજ પપૈયું ખાવાથી પાચન ક્રિયા પણ સુધરે છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow