ખુરશી-ટેબલ પર નહીં જમીન પર બેસીને કરો ભોજન, રિસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા ફાયદાઓ

ખુરશી-ટેબલ પર નહીં જમીન પર બેસીને કરો ભોજન, રિસર્ચમાં સામે આવ્યા ચોંકાવનારા ફાયદાઓ

આજકાલની લાઈફસ્ટાઈલ ખૂબ જ બદલાઈ ગઈ છે. જેમાં જુની પરંપરા ભુલાતી જાય છે. પહેલા ભોજન બનાવવાની રીતથી લઈને ભોજન ખાવા સુધીની રીતો અલગ હતી. પહેલાના સમયમાં લોકો જમીન પર બેસીને ભોજન કરતા હતા.

જે લોકો નીચે બેસીને ભોજન કરતા હશે તેમને તેનો આનંદ જરૂર ખબર હશે. મોટાભાગે દાદી-નાની પણ જમીન પર બેસીને જ ભોજન કરતા હતા. કારણ કે તેના ઘણા ફાયદા હોય છે. હાલમાં જ આ વાતનો ખુલાસો ઘણી સ્ટડીઝ અને રિસર્ચમાં થયો છે.

રિસર્ચમાં આ વાતનો પુરાવો મળ્યો કે જમીન અથવા ધરતી પર બેસીને ભોજન કરવું સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારથી લાભ પહોંચાડે છે. આયુર્વેદ પણ આ વાતની પુષ્ટી કરે છે. આવો જાણીએ જમીન પર બેસીને ભોજન કરવાના ફાયદાઓ વિશે...

પાચનતંત્રમાં સુધાર
સુખાસન એક યોગ મુદ્રા છે. જેમાં વ્યક્તિ પગને ક્રોસ કરીને જમીન પર બેસે છે. ભોજન પચાવવા માટે આ મુદ્રા સૌથી સટીક હોય છે. માટે સારા ડાયજેશન માટે તમારે જમીન પર બેસીને જ ભોજન કરવું જોઈએ.

હકીકતે જ્યારે આપણે ભોજન કરવા માટે થાળી જમીન પર મુકીએ છીએ ત્યારે ભોજન કરવા માટે આપણે શરીરને થોડુ આગળની તરફ લઈ જઈએ છીએ અને પછી આપણે ફરી મુળ સ્થિતિમાં આવી જઈએ છીએ.

આના માટે શરીરે વારંવાર હલવું પડે છે જેનાથી પેટના મસલ્સનું સ્ટિમુલેશ થાય છે. જેનાથી પેટમાં ડાઈજેસ્ટિવ એન્ઝાઈમ્સનું સિક્રિશન વધે છે. જેનાથી ભોજન યોગ્ય રીતે પચવા લાગે છે.

માઈન્ડ રિલેક્સ થાય છે
તમને જણાવી દઈએ કે જમીન પર બેસીને ભોજન કરવાને જો યોગ સાથે જોડવામાં આવે તો પદ્માસન અને સુખાસન ધ્યાન માટે આદર્શ મુદ્રાઓ છે. આ આસન મગરને સ્ટ્રેસમાંથી દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે આ મુદ્રાઓમાં બેસવાથી શરીરમાં ઓક્સીજનનો ફ્લો વધી શકે છે.

કરોડરજ્જુ થાય છે મજબૂત
હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર જો તમે જમીન પર બેસીને ભોજન કરો છો તો તેનાથી તમારી કરોડરજ્જુ સ્વસ્થ્ય થાય છે. ત્યાં જ જો તમારી કરોડરજ્જુ કમજોર છે તો જમીન પર બેસીને જ ભોજન કરો. આ રીતે ભોજન કરવાથી જો તમે સ્થિર બેસો છો અને તમારી કરોડરજ્જુ પર દબાણ નથી પડતું. જમીન પર બેસવાથી તમારી સ્પાઈનનું ફોર્મોશન પણ સુધરે છે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow