'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

તાજેતરમાં ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે કેટલીક અટકળો ચાલી રહી હતી કે દિલીપ જોશી (જેઠાલાલ) અને મુનમુન દત્તા (બબીતાજી)એ શો છોડી દીધો છે, કારણ કે છેલ્લા કેટલાક એપિસોડમાં તેઓ દેખાયાં નથી. હવે શોના નિર્માતા અસિત કુમાર મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ગયા મહિને દિલીપ જોશી અને મુનમુન દત્તા શો છોડી રહ્યાં હોવાની અફવાઓ તેજ થઈ હતી. આ ત્યારે શરૂ થયું, જ્યારે દર્શકોએ જોયું કે ભૂતનીવાળા ટ્રેકમાં જેઠાલાલ અને બબીતાનાં પાત્રો જોવા મળ્યાં નહોતાં.

રજાઓ માણી રહ્યા હતા. તારક મહેતા, અંજલિ, બાપુજી, પોપટલાલ, સોઢી જેવાં પાત્રો જોવા મળ્યાં, પરંતુ જેઠાલાલ અને બબીતા જોવા મળ્યાં નહીં. આ કારણે લોકોએ માની લીધું કે કદાચ બંને કલાકારો શો છોડી દીધો છે, જોકે અગાઉ પણ અસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે બંને હજુ પણ શોનો ભાગ છે. તેમણે મની કંટ્રોલને જણાવ્યું હતું કે આજકાલ સોશિયલ મીડિયા ખૂબ જ નકારાત્મક બની ગયું છે, પરંતુ વ્યક્તિએ સકારાત્મક વિચારતા રહેવું જોઈએ. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક પારિવારિક શો છે, જે ખુશી ફેલાવે છે. નાની નાની વાતો પર અફવાઓ ફેલાવવી કે કંઈ ખોટું કહેવું યોગ્ય નથી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow