'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

'દયાભાભી' બાદ શું 'જેઠાલાલ'એ પણ 'તારક મહેતા...' છોડ્યો?

તાજેતરમાં ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશે કેટલીક અટકળો ચાલી રહી હતી કે દિલીપ જોશી (જેઠાલાલ) અને મુનમુન દત્તા (બબીતાજી)એ શો છોડી દીધો છે, કારણ કે છેલ્લા કેટલાક એપિસોડમાં તેઓ દેખાયાં નથી. હવે શોના નિર્માતા અસિત કુમાર મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.

ગયા મહિને દિલીપ જોશી અને મુનમુન દત્તા શો છોડી રહ્યાં હોવાની અફવાઓ તેજ થઈ હતી. આ ત્યારે શરૂ થયું, જ્યારે દર્શકોએ જોયું કે ભૂતનીવાળા ટ્રેકમાં જેઠાલાલ અને બબીતાનાં પાત્રો જોવા મળ્યાં નહોતાં.

રજાઓ માણી રહ્યા હતા. તારક મહેતા, અંજલિ, બાપુજી, પોપટલાલ, સોઢી જેવાં પાત્રો જોવા મળ્યાં, પરંતુ જેઠાલાલ અને બબીતા જોવા મળ્યાં નહીં. આ કારણે લોકોએ માની લીધું કે કદાચ બંને કલાકારો શો છોડી દીધો છે, જોકે અગાઉ પણ અસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે બંને હજુ પણ શોનો ભાગ છે. તેમણે મની કંટ્રોલને જણાવ્યું હતું કે આજકાલ સોશિયલ મીડિયા ખૂબ જ નકારાત્મક બની ગયું છે, પરંતુ વ્યક્તિએ સકારાત્મક વિચારતા રહેવું જોઈએ. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક પારિવારિક શો છે, જે ખુશી ફેલાવે છે. નાની નાની વાતો પર અફવાઓ ફેલાવવી કે કંઈ ખોટું કહેવું યોગ્ય નથી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow