શુક્રવારથી દુર્ગાપૂજા મહોત્સવ શરૂ, રાજકોટમાં 7 સ્થળે ઉજવણી થશે

શુક્રવારથી દુર્ગાપૂજા મહોત્સવ શરૂ, રાજકોટમાં 7 સ્થળે ઉજવણી થશે

રાજકોટમાં બંગાળી સમાજ દ્વારા આ વખતે 51મો દુર્ગાપૂજા મહોત્સવ યોજાશે. જેનો પ્રારંભ શુક્રવારે છઠ્ઠા નોરતેથી થશે. જ્યારે દશેરાએ વિસર્જન કરવામાં આવશે. દુર્ગાપૂજા મહોત્સવની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દુર્ગાપૂજા મહોત્સવ ઉજવવા માટે બંગાળી સમાજમાં ખુશીનો માહોલ છે.

બંગાળી સમાજના પ્રમુખ દિલીપ સરકારના જણાવ્યાનુસાર મૂર્તિ કોલકાતાની માટીમાંથી બનાવવામાં આવી છે. તેમજ દુર્ગાપૂજા મહોત્સવ દરમિયાન સવારે-સાંજે વિશેષ આરતી, પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તેમજ બંગાળી નૃત્ય પણ રજૂ કરવામાં આવશે. રાજકોટમાં સંતકબીર રોડ, રામનાથપરા, જૂની ખડપીઠ સહિત કુલ 7 સ્થળોએ દુર્ગાપૂજા મહોત્સવ બંગાળી સમાજ અને બંગાળી કારીગરો દ્વારા યોજાશે. રેસકોર્સ ખાતે આયોજિત દુર્ગાપૂજા મહોત્સવના પ્રારંભ સમયે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામીજી નિખેલેશ્વરાનંદજી મહારાજનું પ્રવચન રાત્રે 8.00 કલાકે યોજાશે. આ તકે મા દુર્ગાના આગમનને વધામણી કરવા પૂજા વિધિ રાખવામાં આવેલ છે. જેને બોધન આગમની અધિવાસ કહેવાય છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow