શુક્રવારથી દુર્ગાપૂજા મહોત્સવ શરૂ, રાજકોટમાં 7 સ્થળે ઉજવણી થશે

શુક્રવારથી દુર્ગાપૂજા મહોત્સવ શરૂ, રાજકોટમાં 7 સ્થળે ઉજવણી થશે

રાજકોટમાં બંગાળી સમાજ દ્વારા આ વખતે 51મો દુર્ગાપૂજા મહોત્સવ યોજાશે. જેનો પ્રારંભ શુક્રવારે છઠ્ઠા નોરતેથી થશે. જ્યારે દશેરાએ વિસર્જન કરવામાં આવશે. દુર્ગાપૂજા મહોત્સવની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દુર્ગાપૂજા મહોત્સવ ઉજવવા માટે બંગાળી સમાજમાં ખુશીનો માહોલ છે.

બંગાળી સમાજના પ્રમુખ દિલીપ સરકારના જણાવ્યાનુસાર મૂર્તિ કોલકાતાની માટીમાંથી બનાવવામાં આવી છે. તેમજ દુર્ગાપૂજા મહોત્સવ દરમિયાન સવારે-સાંજે વિશેષ આરતી, પૂજા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તેમજ બંગાળી નૃત્ય પણ રજૂ કરવામાં આવશે. રાજકોટમાં સંતકબીર રોડ, રામનાથપરા, જૂની ખડપીઠ સહિત કુલ 7 સ્થળોએ દુર્ગાપૂજા મહોત્સવ બંગાળી સમાજ અને બંગાળી કારીગરો દ્વારા યોજાશે. રેસકોર્સ ખાતે આયોજિત દુર્ગાપૂજા મહોત્સવના પ્રારંભ સમયે રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામીજી નિખેલેશ્વરાનંદજી મહારાજનું પ્રવચન રાત્રે 8.00 કલાકે યોજાશે. આ તકે મા દુર્ગાના આગમનને વધામણી કરવા પૂજા વિધિ રાખવામાં આવેલ છે. જેને બોધન આગમની અધિવાસ કહેવાય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow