જાન લઈને નીકળ્યાં દુલ્હેરાજા, ઘર બહાર જોયું એવું કે મચ્યો હડકંપ, પરણવાની ના પાડી દીધી

જાન લઈને નીકળ્યાં દુલ્હેરાજા, ઘર બહાર જોયું એવું કે મચ્યો હડકંપ, પરણવાની ના પાડી દીધી

હાપુડમાં એક યુવક એકતરફી પ્રેમમાં એટલો અંધ બની ગયો કે તેણે વરરાજાને ધમકી આપી. તેણે વરરાજાને જાન લઈને તેની માશૂકના ઘેર ન જવાની ચેતવણી આપી છે. માથાફરેલ યુવાને એક પત્ર લખીને દુલ્હાને મારી નાખવાની ધમકી આપી હતી અને હવે આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માથાફરેલ યુવકે  આ પત્ર વરરાજાના ઘરની બહારની દિવાલ પર ચીપકાવ્યો હતો. હવે વરરાજાના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
મોન્ટીસિંહના લગ્નની જાન 18  ફેબ્રુઆરીએ ગઢમુક્તેશ્વર તહસીલ વિસ્તારમાં જવાની હતી લગ્નનો વરઘોડો નીકળે તે પહેલા જ એક શખ્સ વરરાજાના ગામ પહોંચી ગયો હતો અને ધમકીભર્યો પત્ર આપ્યો હતો.

પત્ર લખીને આપી ધમકી
વરરાજાના ઘરની બહાર લગાવવામાં આવેલા પોસ્ટરમાં માથાફરેલ શખ્સે દુલ્હાને ધમકી આપતા લખ્યું કે કાન ખોલીને સાંભળી લેજે, કરિશ્મા મારી છે... જાન લઈને ન આવતો નહિતર, તું નહિ બચે. હું જાનને સ્મશાનગૃહમાં ફેરવીશ. એટલું જ નહીં આરોપી યુવકે લગ્ન પ્રસંગને પણ ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે જે ભાઈને જમણવારની સાથે ગોળી ખાવી હોય તે જાનમાં આવે. આરોપીએ કહ્યું કે આ તો ટ્રેલર છે, આખી ફિલ્મ તો લગ્નમાં ભજવાશે. માથાફરેલા યુવાને દુલ્હાના ઘરની બહાર કાગળ ચીપકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં દુલ્હાને પહેલા તો લગ્નની ના પાડી દીધી હતી અને તેઓ બધા પોલીસમાં પહોંચ્યાં હતા અજાણ્યા સામે ફરિયાદ લખાવી હતી.

શું હતી ઘટના
હાપુડમાં એક યુવાનને કરિશ્મા નામની એક છોકરી સાથે એકતરફી પ્રેમ થયો હતો અને તે તેની સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ છોકરીને તે પસંદ નહોતો આ દરમિયાન કરિશ્માના બીજે લગ્ન નક્કી થતા માથાફરેલ યુવાને વરરાજાના ગામમાં પહોંચી ગયો અને તેને કરિશ્મા સાથે લગ્ન ન કરવાની ધમકી આપી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow