ચીનમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટના કારણે સ્થિતિ બદતર!

ચીનમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટના કારણે સ્થિતિ બદતર!

વિશ્વમાં ફરી એકવાર ખૂબ ઝડપથી કોરોના વાયરસ બેકાબૂ બની રહ્યો છે. ખાસ કરીને ચીનમાં જે ઝડપથી ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF.7 લોકોને સંક્રમિત કરી રહ્યો છે તે દુનિયાભરના દેશો માટે એક ખતરાની ઘંટી સમાન છે. હાલમાં ચીનની બદતર સ્થિતિ અંગે વાત કરીએ તો, ઓમિક્રોનના સબ વેરિયન્ટથી અત્યાર સુધીમાં ચીનમાં હોસ્પિટલ દર્દીઓથી ફૂલ અને સ્મશાનોમાં મૃતદેહોના ઢગલા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ચીનમાં અત્યાર સુધીની સૌથી મોટી કોવિડ-19ની લહેર આવી હોવાનું મનાય છે.

ચીની સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે દેશમાં આગામી કેટલાક મહિનામાં કોવિડ-19થી 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે. અને એક રિપોર્ટ અનુસાર ચીનમાં મૃતકોની સંખ્યા 5 લાખ થાય તેવી સંભાવના છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ચીને પોતાની ઝિરો કોવિડ પોલિસીને રદ કરી હતી અને ત્યારબાદ ત્યાં સંક્રમિતોની સંખ્યામાં એટલી વધી કે સ્મશાનોમાં એકસાથે અંતિમ સંસ્કાર કરવા પડ્યા. સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ટ્વિટર પર વાયરલ થતા વીડિયો જોતા લાગે છે કે ચીનમાં કેસ અને મોતના સત્તાવાર આંકડા અને તેની હકીકત વચ્ચે ઘણો તફાવત છે. ચીનમાં કોરોનાથી કેવી બદતર સ્થિતિ છે તે જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow