દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાંખવામાં આવી હતી, હવે ફોરવર્ડમાં ચાલશે: વિપુલ ચૌધરીનું મોટું નિવેદન

દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાંખવામાં આવી હતી, હવે ફોરવર્ડમાં ચાલશે: વિપુલ ચૌધરીનું મોટું નિવેદન

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનું જેલમાંથી છૂટયા બાદ મોટું નિવેદન સામે આવ્યું છે. વિપુલ ચૌધરીએ કહ્યું છે કે, અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે કહ્યું કે, દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાખવામાં આવી હતી. દૂધ ઘટતું હોવા છતા પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. આ સાથે વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, દૂધસાગર ડેરીની દિલ્લી સ્થિત માનસાગર ડેરી અને મોતીસાગર ડેરીની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ થશે.

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન જેલમાંથી છૂટયા બાદ તેમના સૂર બદલાયા છે. આજે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર તેમણે જણાવ્યું હતું કે, હવે એમ લાગે છે કે, દૂધસાગર ડેરીની દિલ્લી સ્થિત ડેરી માનસાગર ડેરી અને મોતીસાગર ડેરી ની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ થશે.

અમૂલનો અધ્યક્ષ હતો ત્યારે........
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, હું અમૂલનો અધ્યક્ષ હતો ત્યારે દિલ્લીમાં 32 લાખ લીટર દૂધનું વેચાણ થતું હતું. જેમાંથી 50 ટકા જેટલું એટલે કે 16 લાખ જેટલું દૂધ દૂધસાગર ડેરીનું વેચાતું હતું. આજે એવું લાગે છે કે, જ્યારે બજાર 42 લાખ લિટર જેટલું થયું છે ત્યારે દૂધસાગરની ડેરીની બંને ડેરીઓની ક્ષમતા ઉપયોગ કરવાની અને 16 લાખ લિટર પુ:ન દૂધ વેચાય તેવી આશાઓ અને અપેક્ષાઓ છે.

અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે શું કહ્યું ?
વિપુલ ચૌધરીએ અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાખવામાં આવી હતી. દૂધ ઘટતું હોવા છતા પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. પાવડર બનાવવાનો હોય તો દિલ્લીમાં ડેરી શું કામ કરી? હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow