દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાંખવામાં આવી હતી, હવે ફોરવર્ડમાં ચાલશે: વિપુલ ચૌધરીનું મોટું નિવેદન

દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાંખવામાં આવી હતી, હવે ફોરવર્ડમાં ચાલશે: વિપુલ ચૌધરીનું મોટું નિવેદન

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનું જેલમાંથી છૂટયા બાદ મોટું નિવેદન સામે આવ્યું છે. વિપુલ ચૌધરીએ કહ્યું છે કે, અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે કહ્યું કે, દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાખવામાં આવી હતી. દૂધ ઘટતું હોવા છતા પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. આ સાથે વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, દૂધસાગર ડેરીની દિલ્લી સ્થિત માનસાગર ડેરી અને મોતીસાગર ડેરીની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ થશે.

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન જેલમાંથી છૂટયા બાદ તેમના સૂર બદલાયા છે. આજે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર તેમણે જણાવ્યું હતું કે, હવે એમ લાગે છે કે, દૂધસાગર ડેરીની દિલ્લી સ્થિત ડેરી માનસાગર ડેરી અને મોતીસાગર ડેરી ની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ થશે.

અમૂલનો અધ્યક્ષ હતો ત્યારે........
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, હું અમૂલનો અધ્યક્ષ હતો ત્યારે દિલ્લીમાં 32 લાખ લીટર દૂધનું વેચાણ થતું હતું. જેમાંથી 50 ટકા જેટલું એટલે કે 16 લાખ જેટલું દૂધ દૂધસાગર ડેરીનું વેચાતું હતું. આજે એવું લાગે છે કે, જ્યારે બજાર 42 લાખ લિટર જેટલું થયું છે ત્યારે દૂધસાગરની ડેરીની બંને ડેરીઓની ક્ષમતા ઉપયોગ કરવાની અને 16 લાખ લિટર પુ:ન દૂધ વેચાય તેવી આશાઓ અને અપેક્ષાઓ છે.

અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે શું કહ્યું ?
વિપુલ ચૌધરીએ અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાખવામાં આવી હતી. દૂધ ઘટતું હોવા છતા પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. પાવડર બનાવવાનો હોય તો દિલ્લીમાં ડેરી શું કામ કરી? હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow