દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાંખવામાં આવી હતી, હવે ફોરવર્ડમાં ચાલશે: વિપુલ ચૌધરીનું મોટું નિવેદન

દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાંખવામાં આવી હતી, હવે ફોરવર્ડમાં ચાલશે: વિપુલ ચૌધરીનું મોટું નિવેદન

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીનું જેલમાંથી છૂટયા બાદ મોટું નિવેદન સામે આવ્યું છે. વિપુલ ચૌધરીએ કહ્યું છે કે, અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે કહ્યું કે, દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાખવામાં આવી હતી. દૂધ ઘટતું હોવા છતા પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. આ સાથે વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, દૂધસાગર ડેરીની દિલ્લી સ્થિત માનસાગર ડેરી અને મોતીસાગર ડેરીની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ થશે.

ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન જેલમાંથી છૂટયા બાદ તેમના સૂર બદલાયા છે. આજે મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર તેમણે જણાવ્યું હતું કે, હવે એમ લાગે છે કે, દૂધસાગર ડેરીની દિલ્લી સ્થિત ડેરી માનસાગર ડેરી અને મોતીસાગર ડેરી ની ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ થશે.

અમૂલનો અધ્યક્ષ હતો ત્યારે........
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ કહ્યું હતું કે, હું અમૂલનો અધ્યક્ષ હતો ત્યારે દિલ્લીમાં 32 લાખ લીટર દૂધનું વેચાણ થતું હતું. જેમાંથી 50 ટકા જેટલું એટલે કે 16 લાખ જેટલું દૂધ દૂધસાગર ડેરીનું વેચાતું હતું. આજે એવું લાગે છે કે, જ્યારે બજાર 42 લાખ લિટર જેટલું થયું છે ત્યારે દૂધસાગરની ડેરીની બંને ડેરીઓની ક્ષમતા ઉપયોગ કરવાની અને 16 લાખ લિટર પુ:ન દૂધ વેચાય તેવી આશાઓ અને અપેક્ષાઓ છે.

અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે શું કહ્યું ?
વિપુલ ચૌધરીએ અમૂલના પૂર્વ MD સોઢીના રાજીનામા મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાખવામાં આવી હતી. દૂધ ઘટતું હોવા છતા પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. પાવડર બનાવવાનો હોય તો દિલ્લીમાં ડેરી શું કામ કરી? હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow