દ્રવિડે ટી-20 સિરીઝમાં હારનું કારણ જણાવ્યું

દ્રવિડે ટી-20 સિરીઝમાં હારનું કારણ જણાવ્યું

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતીય ટીમ 3-2થી સિરીઝ હારી ગઈ હતી. ભારતીય ટીમને પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ સાથે પાંચ કે તેથી વધુ ટી-20 મેચોની સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે.

સિરીઝ પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું, 'આપણે આખી સિરીઝમાં સારી બેટિંગ કરી ન હતી. જેના કારણે આપણે હારનો સામનો કરવો પડ્યો હતો.

દ્રવિડે વધુમાં કહ્યું- 'આ સિરીઝમાં આપણે કેટલીક ભૂલો કરી છે. કેટલાક ક્ષેત્રો એવા છે જેમાં સુધારો કરવો જરૂરી છે. અમે તેને ઓળખી કાઢ્યા છે. આ સાથે તેમણે ટીમનો બચાવ પણ કર્યો અને કહ્યું કે અમે યુવા અને ઉભરતી ટીમ સાથે રમી રહ્યા હતા, તેથી આવું થાય છે.

તેમણે કહ્યું, 'ટીમે શરૂઆતની બે મેચ હાર્યા બાદ પાછી ફરી. આપણે છેલ્લી મેચમાં સારી બેટિંગ કરી ન હતી. જેના કારણે અમને સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow