દ્રવિડે ટી-20 સિરીઝમાં હારનું કારણ જણાવ્યું

દ્રવિડે ટી-20 સિરીઝમાં હારનું કારણ જણાવ્યું

હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને રવિવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટી-20 સિરીઝની છેલ્લી મેચમાં 8 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ભારતીય ટીમ 3-2થી સિરીઝ હારી ગઈ હતી. ભારતીય ટીમને પ્રથમ વખત વેસ્ટ ઈન્ડિઝ સાથે પાંચ કે તેથી વધુ ટી-20 મેચોની સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે.

સિરીઝ પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું, 'આપણે આખી સિરીઝમાં સારી બેટિંગ કરી ન હતી. જેના કારણે આપણે હારનો સામનો કરવો પડ્યો હતો.

દ્રવિડે વધુમાં કહ્યું- 'આ સિરીઝમાં આપણે કેટલીક ભૂલો કરી છે. કેટલાક ક્ષેત્રો એવા છે જેમાં સુધારો કરવો જરૂરી છે. અમે તેને ઓળખી કાઢ્યા છે. આ સાથે તેમણે ટીમનો બચાવ પણ કર્યો અને કહ્યું કે અમે યુવા અને ઉભરતી ટીમ સાથે રમી રહ્યા હતા, તેથી આવું થાય છે.

તેમણે કહ્યું, 'ટીમે શરૂઆતની બે મેચ હાર્યા બાદ પાછી ફરી. આપણે છેલ્લી મેચમાં સારી બેટિંગ કરી ન હતી. જેના કારણે અમને સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow