ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડો. ઉપાધ્યાયની ભરતી ગેરકાયદે!

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડો. ઉપાધ્યાયની ભરતી ગેરકાયદે!

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની ભરતી જ ગેરકાયદે હોવાની હવે સીએમઓમાં ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજક ભાવિન સોલંકીએ સીએમઓમાં ફરિયાદ કરી ડૉ. અમી ઉપાધ્યાયની નિમણૂકની કાયદેસરતા ચકાસવા માંગણી કરી છે. આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની ભરતી જ ગેરકાયદે છે પરંતુ છતાં તેમને કુલપતિ બનાવી દેવાયા છે.

જો કે આ સમગ્ર વિવાદને અત્યાર સુધીમાં બે સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં શિક્ષણ વિભાગે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા આખરે હવે આ સમગ્ર વિવાદ સીએમઓ સુધી પહોંચ્યો છે. એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજક ભાવિન સોલંકીએ સીએમઓમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડો.અમી ઉપાધ્યાયની અંગ્રેજી ભવનમાં પ્રોફેસર નિયુક્તિ થયેલી છે. તેઓની નિયુક્તિ વખતે પ્રોફેસરની લાયકાતમાં 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ, પીએચ.ડી.ના ગાઈડ હોવું સહિત યુ.જી.સી. મુજબના લાયકાતના ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીની નિષ્ણાતોની પહેલી કમિટી તા.5/12/2012ના રોજ મળી હતી, જેમાં તજજ્ઞ તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અંગ્રેજી વિષયના જ પ્રોફેસર એક સભ્ય તરીકે હતા. જેમાં અમી ઉપાધ્યાયને ‘નોટ ક્વોલિફાઈડ’ જાહેર કર્યા હતા. ત્યારબાદ 11/3/2013ના રોજ જુદા લોકોને બોલાવીને અમી ઉપાધ્યાય લાયકાત ધરાવે છે તેવો રિપોર્ટ લેવામાં આવ્યો. તો સત્વરે આ અંગે તપાસ કરી રેકોર્ડ કબજે લઈ તેઓના કાર્યકારી કુલપતિના હોદા પરથી દૂર કરવા જોઈએ. જેથી હોદાનો દુરુપયોગ કરી રેકોર્ડ સાથે ચેડાં ન કરે કે કરાવે. આ ઉપરાંત જ્યારે સમિતિ તપાસ માટે રૂબરૂ બોલાવશે ત્યારે રૂબરૂ આવીને આ બધા જ આધારો ૨જૂ કરી શકું તેમ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow