ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડો. ઉપાધ્યાયની ભરતી ગેરકાયદે!

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ડો. ઉપાધ્યાયની ભરતી ગેરકાયદે!

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની ભરતી જ ગેરકાયદે હોવાની હવે સીએમઓમાં ફરિયાદ કરવામાં આવી છે. વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજક ભાવિન સોલંકીએ સીએમઓમાં ફરિયાદ કરી ડૉ. અમી ઉપાધ્યાયની નિમણૂકની કાયદેસરતા ચકાસવા માંગણી કરી છે. આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયની પ્રોફેસર તરીકેની ભરતી જ ગેરકાયદે છે પરંતુ છતાં તેમને કુલપતિ બનાવી દેવાયા છે.

જો કે આ સમગ્ર વિવાદને અત્યાર સુધીમાં બે સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં શિક્ષણ વિભાગે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા આખરે હવે આ સમગ્ર વિવાદ સીએમઓ સુધી પહોંચ્યો છે. એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજક ભાવિન સોલંકીએ સીએમઓમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આંબેડકર યુનિવર્સિટીના કુલપતિ ડો.અમી ઉપાધ્યાયની અંગ્રેજી ભવનમાં પ્રોફેસર નિયુક્તિ થયેલી છે. તેઓની નિયુક્તિ વખતે પ્રોફેસરની લાયકાતમાં 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ, પીએચ.ડી.ના ગાઈડ હોવું સહિત યુ.જી.સી. મુજબના લાયકાતના ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીની નિષ્ણાતોની પહેલી કમિટી તા.5/12/2012ના રોજ મળી હતી, જેમાં તજજ્ઞ તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અંગ્રેજી વિષયના જ પ્રોફેસર એક સભ્ય તરીકે હતા. જેમાં અમી ઉપાધ્યાયને ‘નોટ ક્વોલિફાઈડ’ જાહેર કર્યા હતા. ત્યારબાદ 11/3/2013ના રોજ જુદા લોકોને બોલાવીને અમી ઉપાધ્યાય લાયકાત ધરાવે છે તેવો રિપોર્ટ લેવામાં આવ્યો. તો સત્વરે આ અંગે તપાસ કરી રેકોર્ડ કબજે લઈ તેઓના કાર્યકારી કુલપતિના હોદા પરથી દૂર કરવા જોઈએ. જેથી હોદાનો દુરુપયોગ કરી રેકોર્ડ સાથે ચેડાં ન કરે કે કરાવે. આ ઉપરાંત જ્યારે સમિતિ તપાસ માટે રૂબરૂ બોલાવશે ત્યારે રૂબરૂ આવીને આ બધા જ આધારો ૨જૂ કરી શકું તેમ હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow