ભાત બનાવ્યા પછી વધેલું પાણી ફેંકતા નહીં: ગ્લોઈંગ સ્કીનથી લઈ BP-વજન ઘટાડવામાં કરે છે મદદ

ભાત બનાવ્યા પછી વધેલું પાણી ફેંકતા નહીં: ગ્લોઈંગ સ્કીનથી લઈ BP-વજન ઘટાડવામાં કરે છે મદદ

ભાતનું ઓસામણ એટલે કે ભાત બનાવ્યા બાદ વધેલું પાણી લોકો ફેંકી દેતા હશે, પરંતુ તે આપણા આરોગ્ય માટે કોઈ રામબાણ ઇલાજથી કમ નથી. ભાતનું આ ઓસામણ જરૂરી પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે, તેના સેવનથી વજન ઘટે છે અને બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.  

આજના સમયમાં મોટા ભાગનાં ઘરમાં ભાત બનાવવા માટે પ્રેશર કૂકર અથવા તો ઈલેક્ટ્રિક કૂકરનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પહેલાંના જમાનામાં લોકો ખુલ્લાં અને ઊંડાણવાળાં વાસણોમાં ભાત બનાવતા હતા.

શરીરની એનર્જી ગજબ રીતે વધારશે
ભાતનું આ ઓસામણ પીવાથી શરીરને ગજબ ઊર્જા મળે છે. આ પ્રવાહીમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ રહેલાં હોય છે, તેમાં વિટા‌મિન-બી, સી, ઈ અને અન્ય ખ‌નીજ પદાર્થ પણ વિપુલ પ્રમાણમાં હોય છે,  

જે તમારો થાક ઘટાડવામાં મદદ કરે છે. કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ભાતનું ઓસામણ પીવાથી શરીરમાં દિવસભર ઊર્જા રહે છે. આ માટે સવારે એક ગ્લાસ ભાતનું ઓસામણ જરૂર પીઓ. તમે ઇચ્છો તો તેમાં મધ ભેળવીને પી શકો છો.  

વાઇરલ ઇન્ફેક્શન કે તાવમાં ફાયદાકારક
જો તમને શિયાળાની આ કડકડતી ઠંડીમાં ‌સિઝનલ ઈન્ફેક્શન થઈ ગયું હોય કે પછી વાઈરલ તાવ આવતો હોય તો એવા સંજોગોમાં ભાતનું ઓસામણ પીવાથી શરીરમાં પાણીની ઊણપ નથી સર્જાતી,  

સાથે જ શરીરને પૂરતાં પોષકતત્ત્વો પણ મળે છે. આ કારણે વાઈરલ કે તાવ જલદી મટી જાય છે. વાઇરલ ઇન્ફેક્શન કે તાવ હોય તો એક ગ્લાસ ભાતના ઓસામણમાં મરી નાખી પીઓ, તેનાથી રિકવરી જલદી થશે.

ગ્લોઇંગ ‌સ્કિન
રોજ તેના સેવનથી તમારી ત્વચા ગ્લોઇંગ બને છે. તમે ઇચ્છો તો ભાતના ઓસામણથી ચહેરો પણ ધોઈ શકો છો, તેનાથી પિંપલ્સ, કરચલી, ડાઘ-ધબ્બા જેવી સમસ્યા દૂર થાય છે. આ પાણીથી વાળ ધોવાથી હેર ફોલ પણ ઘટે છે.  

જો તમારા ચહેરા પર ડાઘ-ધબ્બા હોય તો તેમાં ભાતનું ઓસામણ ખૂબ જ અસરકારક છે. આ સાથે જ તે વાળની ચમક વધારે છે અને તેને તૂટતા બચાવે છે. ઓસામણના આ પાણીને તમે શેમ્પૂ કર્યા બાદ કન્ડિશનરની જેમ યુઝ કરી શકો છો.

વજન ઘટાડે
ભાતનું ઓસામણ પીવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, સાથે તે ફાઇબરથી ભરપૂર હોવાના કારણે ભૂખ પર પણ કંટ્રોલ થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.  

સારી પાચનક્રિયા પણ આપશે. ભાતનું ઓસામણ પીવાથી પેટના બેક્ટેરિયા એક્ટિવ રહે છે, તેનાથી પાચનક્રિયા યોગ્ય રહે છે, સાથે તેમાં લીંબુનો રસ ભેળવી પીવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

શરીરમાં પાણીની ઓછપ પૂર્ણ કરશે
તેનાથી શરીરને જરૂરી તમામ પોષકતત્ત્વો તો મળે જ છે, પરંતુ તે શરીરમાં ક્યારેય પાણીની કમી ઉત્પન્ન થવા દેતું નથી. તમે ઇચ્છો તો તેમાં છાશ મેળવી પણ પી શકો છો. બ્લડપ્રેશરને પણ કાબૂમાં કરે છે.  

બ્લડપ્રેશરને કંટ્રોલ કરવા માટે રોજ એક ગ્લાસ ભાતનું ઓસામણ પીઓ, તેમાં સોડિયમ હોય છે, જે હાઇ બીપી અને હાઇપરટેન્શનમાં ફાયદાકારક છે.  

એટલું જ નહીં અડધો ગ્લાસ ભાતનું ઓસામણ પીવાથી હાડકાં મજબૂત થાય છે, સાથે-સાથે વૃદ્ધાવસ્થામાં સાંધાનો દુખાવો થતો નથી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow