શિવલિંગ પર ભૂલથી પણ અર્પણ ના કરો આ વસ્તુઓ, જુઓ કેવી રીતે કરવી જોઇએ ભગવાનની પૂજા

શિવલિંગ પર ભૂલથી પણ અર્પણ ના કરો આ વસ્તુઓ, જુઓ કેવી રીતે કરવી જોઇએ ભગવાનની પૂજા

શિવલિંગ પર પૂજા કરતી વખતે આ બાબતોનુ રાખો ધ્યાન

ભગવાન શિવને દેવોના દેવ કહેવામાં આવે છે. લોકો શિવજીને પ્રસન્ન કરવા માટે અલગ-અલગ ઉપાય કરે છે. એવુ કહેવામાં આવે છે કે ભોળાનાથ પોતાના નામની જેમ જ ભોળા છે અને ભક્તોથી સરળતાથી ખુશ થાય છે. પરંતુ શિવજીની પૂજામાં કોઈ કમી રહી તો તેઓ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરે છે. જો તમે ઘરે શિવલિંગ રાખો છો તો પૂજા કરતી સમયે અમુક નિયમોનુ પાલન અવશ્ય કરો.

ભૂલથી પણ ન ચઢાવતા આ વસ્તુઓ

ઘરમાં શિવલિંગ છે તો દરરોજ વિધિ-વિધાનપૂર્વક પૂજા કરો.
જો તમે નિયમિત રીતે પૂજા કરી શકતા નથી તો ઘરમાં શિવલિંગ ના રાખો.
શિવલિંગમાં કેતકીના ફૂલ, તુલસીના પાન, તુલસીનો છોડ ના ચઢાવવો જોઈએ.
શિવલિંગમાં ચંદન લગાવવુ જોઈએ. તેમાં હળદર-કુમકુમ પણ ના લગાવવુ જોઈએ.
ઘરમાં શિવલિંગ નાનુ હોવુ જોઈએ.

આ રીતે કરો શિવલિંગની પૂજા

શિવલિંગની પૂજા કરતા પહેલા આચમન ગ્રહણ કરવુ જોઈએ.
પછી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ.
શિવલિંગમાં પછી ચંદનનો લેપ લગાવો.
આ સાથે શિવલિંગમાં બિલિપત્ર ચઢાવો.
પછી નમ: શિવાયનો જાપ કરો.
ત્યારબાદ શિવજીની આરતી કરો.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow