પૂજા બાદ વધેલી સામગ્રીને ફેંકવાની ભૂલ ના કરતા, બની જશો પાપમાં ભાગીદાર, જાણો તેનો કેવી રીતે ઉપયોગ કરવો

પૂજા બાદ વધેલી સામગ્રીને ફેંકવાની ભૂલ ના કરતા, બની જશો પાપમાં ભાગીદાર, જાણો તેનો કેવી રીતે ઉપયોગ કરવો

હિંદૂ ધર્મમાં પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીનું ખાસ મહત્વ હોય છે. પૂજામાં કંકુ, અક્ષત, ફળ, ફૂલ, નારિયેળ અથવા લવિંગનું પોતાનું અલગ મહત્વ છે. આ પૂજા સામગ્રી વગર કોઈ પણ પૂજા-પાઠ કે હવન અધુરૂ માનવામાં આવે છે.

‌‌‌‌મોટાભાગે પૂજા બાદ થોડી સામગ્રી વધે છે. સામાન્ય રીતે લોકો વધેલી પૂજા સામગ્રી કે મંદિરમાં મુકે છે અથવા જળમાં પ્રવાહિત કરી દે છે. જ્યોતિષો અનુસાર વધેલી સામગ્રીનો ઉપયોગ જીવનમાં સુખ-સમુદ્ધિ લાવવા માટે કરવામાં આવે છે.

વધેલી પૂજા સામગ્રીનો આ રીતે કરો ઉપયોગ

  • આ પૂજા પાઠમાં કંકુનો ઉપયોગ કરવામાં આવે છે. જો પૂજા બાદ કંકુ વધે તો તેને ઘરની સુહાગન મહિલાઓ તેને પોતાના માંગમાં લગાવી શકે છે. એવું કરવાથી તેમને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીને લાવી રહ્યા છો તો તેનું પૂજન પણ બચેલા કંકુથી કરવું શુભ માનવામાં આવે છે.
  • પૂજા બાદ જો ફૂલ વધે તો તેને આમ તેમ ન ફેંકો. આ અશુભ માનવામાં આવે છે. પૂજાના બચેલા ફૂલોને એક માળામાં પીરોવીને તેને ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દો. જ્યારે આ ફૂલ સંપૂર્ણ રીતે સુકાઈ જાય તો તેને પોતાના ઘરમાં કોઈ કુંડામાં મુકી દો. તેનાથી નવા છોડ ઉગી શકશે.
  • પૂજાની થાળીમાં જો ચોખા વધે તો તેને ઘરમાં રોજ ઉપયોગમાં લેવાતા ઘઉં કે ચોખામાં મિક્ષ કરી દો. આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે અને ઘરમાં બરકત બની રહે છે.
  • પૂજા પાઠમાં સોપારીનું ખૂબ મહત્વ હોય છે. પૂજા વખતે મોટાભાગે પાનના પત્તા અથવા સોપારી રાખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા પુરૂ થયા બાદ આ સુપારીને એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દો. આમ કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow