પૂજા બાદ વધેલી સામગ્રીને ફેંકવાની ભૂલ ના કરતા, બની જશો પાપમાં ભાગીદાર, જાણો તેનો કેવી રીતે ઉપયોગ કરવો

પૂજા બાદ વધેલી સામગ્રીને ફેંકવાની ભૂલ ના કરતા, બની જશો પાપમાં ભાગીદાર, જાણો તેનો કેવી રીતે ઉપયોગ કરવો

હિંદૂ ધર્મમાં પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીનું ખાસ મહત્વ હોય છે. પૂજામાં કંકુ, અક્ષત, ફળ, ફૂલ, નારિયેળ અથવા લવિંગનું પોતાનું અલગ મહત્વ છે. આ પૂજા સામગ્રી વગર કોઈ પણ પૂજા-પાઠ કે હવન અધુરૂ માનવામાં આવે છે.

‌‌‌‌મોટાભાગે પૂજા બાદ થોડી સામગ્રી વધે છે. સામાન્ય રીતે લોકો વધેલી પૂજા સામગ્રી કે મંદિરમાં મુકે છે અથવા જળમાં પ્રવાહિત કરી દે છે. જ્યોતિષો અનુસાર વધેલી સામગ્રીનો ઉપયોગ જીવનમાં સુખ-સમુદ્ધિ લાવવા માટે કરવામાં આવે છે.

વધેલી પૂજા સામગ્રીનો આ રીતે કરો ઉપયોગ

  • આ પૂજા પાઠમાં કંકુનો ઉપયોગ કરવામાં આવે છે. જો પૂજા બાદ કંકુ વધે તો તેને ઘરની સુહાગન મહિલાઓ તેને પોતાના માંગમાં લગાવી શકે છે. એવું કરવાથી તેમને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીને લાવી રહ્યા છો તો તેનું પૂજન પણ બચેલા કંકુથી કરવું શુભ માનવામાં આવે છે.
  • પૂજા બાદ જો ફૂલ વધે તો તેને આમ તેમ ન ફેંકો. આ અશુભ માનવામાં આવે છે. પૂજાના બચેલા ફૂલોને એક માળામાં પીરોવીને તેને ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દો. જ્યારે આ ફૂલ સંપૂર્ણ રીતે સુકાઈ જાય તો તેને પોતાના ઘરમાં કોઈ કુંડામાં મુકી દો. તેનાથી નવા છોડ ઉગી શકશે.
  • પૂજાની થાળીમાં જો ચોખા વધે તો તેને ઘરમાં રોજ ઉપયોગમાં લેવાતા ઘઉં કે ચોખામાં મિક્ષ કરી દો. આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે અને ઘરમાં બરકત બની રહે છે.
  • પૂજા પાઠમાં સોપારીનું ખૂબ મહત્વ હોય છે. પૂજા વખતે મોટાભાગે પાનના પત્તા અથવા સોપારી રાખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા પુરૂ થયા બાદ આ સુપારીને એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દો. આમ કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow