પૂજા બાદ વધેલી સામગ્રીને ફેંકવાની ભૂલ ના કરતા, બની જશો પાપમાં ભાગીદાર, જાણો તેનો કેવી રીતે ઉપયોગ કરવો

પૂજા બાદ વધેલી સામગ્રીને ફેંકવાની ભૂલ ના કરતા, બની જશો પાપમાં ભાગીદાર, જાણો તેનો કેવી રીતે ઉપયોગ કરવો

હિંદૂ ધર્મમાં પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રીનું ખાસ મહત્વ હોય છે. પૂજામાં કંકુ, અક્ષત, ફળ, ફૂલ, નારિયેળ અથવા લવિંગનું પોતાનું અલગ મહત્વ છે. આ પૂજા સામગ્રી વગર કોઈ પણ પૂજા-પાઠ કે હવન અધુરૂ માનવામાં આવે છે.

‌‌‌‌મોટાભાગે પૂજા બાદ થોડી સામગ્રી વધે છે. સામાન્ય રીતે લોકો વધેલી પૂજા સામગ્રી કે મંદિરમાં મુકે છે અથવા જળમાં પ્રવાહિત કરી દે છે. જ્યોતિષો અનુસાર વધેલી સામગ્રીનો ઉપયોગ જીવનમાં સુખ-સમુદ્ધિ લાવવા માટે કરવામાં આવે છે.

વધેલી પૂજા સામગ્રીનો આ રીતે કરો ઉપયોગ

  • આ પૂજા પાઠમાં કંકુનો ઉપયોગ કરવામાં આવે છે. જો પૂજા બાદ કંકુ વધે તો તેને ઘરની સુહાગન મહિલાઓ તેને પોતાના માંગમાં લગાવી શકે છે. એવું કરવાથી તેમને અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થશે. ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીને લાવી રહ્યા છો તો તેનું પૂજન પણ બચેલા કંકુથી કરવું શુભ માનવામાં આવે છે.
  • પૂજા બાદ જો ફૂલ વધે તો તેને આમ તેમ ન ફેંકો. આ અશુભ માનવામાં આવે છે. પૂજાના બચેલા ફૂલોને એક માળામાં પીરોવીને તેને ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દો. જ્યારે આ ફૂલ સંપૂર્ણ રીતે સુકાઈ જાય તો તેને પોતાના ઘરમાં કોઈ કુંડામાં મુકી દો. તેનાથી નવા છોડ ઉગી શકશે.
  • પૂજાની થાળીમાં જો ચોખા વધે તો તેને ઘરમાં રોજ ઉપયોગમાં લેવાતા ઘઉં કે ચોખામાં મિક્ષ કરી દો. આમ કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે અને ઘરમાં બરકત બની રહે છે.
  • પૂજા પાઠમાં સોપારીનું ખૂબ મહત્વ હોય છે. પૂજા વખતે મોટાભાગે પાનના પત્તા અથવા સોપારી રાખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પૂજા પુરૂ થયા બાદ આ સુપારીને એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મુકી દો. આમ કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં થાય.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow