માનસિક રોગને ઉપહાસથી ન જુઓ, અમુક લક્ષણો સકારાત્મક હોય છે!

માનસિક રોગને ઉપહાસથી ન જુઓ, અમુક લક્ષણો સકારાત્મક હોય છે!

‘મનોરોગી’ શબ્દ સાંભળતા જ દરેકની આંખો સામે હિંસક કે ગુનેગાર ચહેરાની તસવીર તરી આવે છે. પરંતુ કેટલાક મનોવિજ્ઞાનીઓ મુજબ માનસિક રોગીઓને ધિક્કારવા કે તેનાથી ડરવું યોગ્ય નથી. કેટલાંક લક્ષણો હકારાત્મક પણ હોય છે. જો તે લક્ષણો પર ધ્યાન આપવામાં આવે તો તેમનાથી ઘણો લાભ પણ ઉઠાવી શકાય છે.

ઇંગ્લેન્ડની ડર્બી યુનિવર્સિટીમાં ફોરેન્સિક સાઈકોલોજીના લેક્ચરર લેવિસ વોલેસ મુજબ માનસિક લક્ષણો દરેકમાં અમુક અંશે હાજર હોય છે પરંતુ તેમને વારેઘડિયે પરેશાન કરવા કે કલંક લગાડવું યોગ્ય નથી. માત્ર હિંસક અથવા ગુનાહિત લાક્ષણિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત ના કરો. મનોરોગીઓમાં હાજર હકારાત્મક વલણને પણ જુઓ.

‘ધ માસ્ક ઓફ સેનિટી’ પુસ્તકના લેખક અને પ્રખ્યાત અમેરિકન મનોચિકિત્સક હર્વે ક્લેકલેએ મનોરોગી પર હાથ ધરાયેલા અભ્યાસને ટાંકીને જણાવ્યું કે એક મનોરોગી દામ્પત્યજીવનમાં બેવફા, નિર્દયી અને ડ્રગનો વ્યસની હતો, પરંતુ તેનાં હકારાત્મક લક્ષણો એ હતાં કે તે સખત મહેનત કરતો હતો. જો તેની અન્ય આદતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તેના મહેનતુ સ્વભાવનો સંબંધિત ક્ષેત્રમાં લાભ લઈ શકાય. મનોવિજ્ઞાનીઓ કહે છે કે સંશોધકો મોટે ભાગે મનોરોગીઓ અંગેનો અભ્યાસ જેલના કેદીઓ પર કરતાં હોય છે. તેથી જ પુસ્તકો અને ફિલ્મોમાં ખતરનાક અને હિંસક ગુનેગાર તરીકે વર્ણવવામાં આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow