ખાલી પેટ ભૂલથી પણ ન કરો આ કામ, થશે એટલા નુકસાન કે પસ્તાવાનો પાર નહી રહે

ખાલી પેટ ભૂલથી પણ ન કરો આ કામ, થશે એટલા નુકસાન કે પસ્તાવાનો પાર નહી રહે

બધા માને છે કે સવારે ખાલી પેટ રહેવાથી ઘણા પ્રકારની સમસ્યાઓ પેદા થઇ શકે છે. આમ કરવાથી ઘણા પ્રકારની બીમારીઓ આપણને ઘેરવા લાગે છે. માનવામાં આવે છે કે સવારે ખાલી પેટ રહેવાથી એસિડીટી, પેટમાં દુખાવો, ઉલ્ટી અને બ્લડ શુગર જેવી સમસ્યાઓ પેદા થાય છે. આવામાં ઘણા લોકો પોતાની ભૂખ શાંત કરવા માટે સવાર સવારમાં એવી વસ્તુઓ લે છે, જેથી ઘણી સમસ્યાઓ પેદા થઇ શકે છે. તો ચાલો જાણીએ કે એવી કઈ કઈ વસ્તુઓ છે, જે ખાલી પેટ ક્યારેય ન લેવી જોઈએ.

‌જો સવાર સવારમાં ખાલી એટ દારુનું સેવાન કરશો તો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. માનવામાં આવે છે કે ખાલી પેટ દારુ પીવાથી તમારા બ્લડ સ્ટ્રીમમાં તે પહોંચે છે. આવામાં તે આખા શરીરમાં ફેલાય છે અને જેથી બ્લડ વેસલ્સ ફેલાય છે. આમ કરવાથી આપણી પલ્સ રેટ ઘટવાની સંભાવના પેદા થઇ શકે છે, આવામાં તમને કિડની, લંગ્સ, લિવરમાં તકલીફ પેદા થઇ શકે છે. એટલા માટે કોશિશ કરો કે તમે ખાલી પેટ ક્યારેય દારુ ન પીવો.

આ ઉપરાંત, ખાલી પેટ ક્યારેય શોપિંગ ન કરવું જોઈએ. ખાલી પેટ હોવાથી આપણે વધારે સામાન ખરીદી લઈએ છીએ. એટલા માટે કોશિશ કરો કર ખાલી પેટ ક્યારેય પણ શોપિંગ ન કરો.

ઘણા લોકોને તમે જોયા હશે કે સવાર સવારમાં ખાલી પેટ કોફી પીવાનું શરુ કરી દે છે. જો તમે ખાલી પેટ કોફી કે ચા પીવો છો, તો તમને એસિડીટીની સમાસ્યા પેદા થઇ શકે છે.

મોટાભાગના લોકો ખાલી પેટ ચ્યુઇન્ગમ પણ ચાવે છે. જો તમે આવા લોકોમાં સામેલ છો, તો તરત જ આ આદત છોડી દો. કેમકે ખાલી પેટ ચ્યુઇન્ગમ ચાવવાથી આપણા પેટમાં ડાયજેસ્ટીવ એસીડ બનવા લાગે છે. આ ડાયજેસ્ટીવ એસીડ ખાલી પેટમાં એસિડીટીથી લઈને અલ્સર સુધીની સમસ્યાઓ પેદા કરી શકે છે. એટલા માટે સારું રહેશે કે ખાલી પેટ ચ્યુઇન્ગમ ન ચાવો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow