ઠંડીની સિઝનમાં ભૂલથી પણ વધુ માત્રામાં ઇંડા ન ખાતા, નહીં તો ઊભી થશે અનેક સમસ્યા

ઠંડીની સિઝનમાં ભૂલથી પણ વધુ માત્રામાં ઇંડા ન ખાતા, નહીં તો ઊભી થશે અનેક સમસ્યા

શરદી હોય કે ગરમી ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ હેલ્ધી ફૂડ સ્વાસ્થ્યને નુકશાન પણ પંહોચાડી શકે છે? વધુ ઈંડા ખાવાથી શરીરને ઘણું નુકશાન પંહોચે છે.

ઈંડામાં પ્રોટીન, વિટામીન B12 અને ઘણા એન્ટીઓક્સીડેન્ટ હોય છે પણ આ ખોરાકને લિમિટમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ઈંડાનું વધુ સેવન કરો છો તો શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

લૂઝ મોશન
ઈંડાના પીળા ભાગમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે એવામાં જો એક દિવસમાં વધુ ઈંડાનું સેવન કરવામાં આવે તો આ સ્થિતિમાં વ્યક્તિને લૂઝ મોશન પણ થઈ શકે છે. જણાવી દઈએ કે જીમમાં જનારા લોકો ખાસ કરીને ઈંડાનો સફેદ ભાગ જ ખાય છે.

હાર્ટ એટેકનો ખતરો
એક અહેવાલ મુજબ ઈંડાનું વધુ પડતું સેવન શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે.  એટલે ખરાબ કોલેસ્ટ્રોલના વધારાને અવગણવાથી હાર્ટ એટેકનું જોખમ ઘણું વધી જાય છે.

ગેસની સમસ્યા
ઈંડામાં ખાવામાં સૌથી મોટી તકલીફ એ છે કે તેનાથી શરીરમાં ગેસની સમસ્યા થાય છે. ટ્રેન્ડને અનુસરવા લોકો શોખ માટે ત્રણથી ચાર ઈંડાની ઓમલેટ ખાય છે અને એ પછી ગેસને કારણે માથામાં કે અન્ય ભાગોમાં દુખાવાના શિકાર બને છે.

બ્લડ શુગર લેવલ
શું તમે જાણો છો કે સુપરફૂડ તરીકે ગણાતા ઈંડા શરીરમાં ઈન્સ્યુલિનને ડિસ્ટર્બ કરી શકે છે. આવી સ્થિતિમાં બ્લડ શુગર લેવલ વધી શકે છે અને જો આ સમસ્યા ચાલુ રહે તો ડાયાબિટીસ પણ થઈ શકે છે.

Read more

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ગોંડલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકનું કારની ઠોકરે મોત નીપજ્યું, ઘરે જતા સમયે અકસ્માત સર્જાયો હતો

ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉં.વ.21) આજે સવારે 10 વાગ્યા આસપાસ વાહન લઈને જતો હતો ત્યારે સરધાર ગામ પાસે અજાણ્યા ફોરવ્હીલ ચાલકે હડફેટે લેતા મા

By Gujaratnow
રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટની ઓફિસમાં સાઇકો કિલરની જેમ મહિલા પર તૂ઼ટી પડ્યો

રાજકોટના શીતલપાર્ક નજીક ધ સ્પાયર-2 બિલ્ડિંગમાં ઓફિસમાં મહિલાને માર મારતા જૂન, 2025ના CCTV ફૂટેજ સામે આવ્યા છે. મહિલાએ ધંધામાં ધ્યાન આપવાનું કહે

By Gujaratnow
'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

'ધુરંધર'ના ડાયલોગ સામે ગુજરાતના બલોચ સમાજે બાંયો ચઢાવી

તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 'ધુરંધર'માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલો

By Gujaratnow