સૂર્ય પૂજા પછી કામળો, તલ, ચોખા અને તાંબાના કળશનું દાન કરો, ભોજનમાં તલ જરૂર સામેલ કરો

સૂર્ય પૂજા પછી કામળો, તલ, ચોખા અને તાંબાના કળશનું દાન કરો, ભોજનમાં તલ જરૂર સામેલ કરો

આ વર્ષે મકર સંક્રાંતિને લઈને પંચાંગ ભેદ છે. કેટલાક પંચાંગોમાં 14 જન્યુઆરી અને કેટલાક પંચાંગોમાં 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ બતાવવામાં આવી છે. આ દિવસે ખાસ કરીને સૂર્ય પૂજા કરવામાં આવે છે. દિવસની શરૂઆત સૂર્યને અર્ઘ્ય આપીને કરો અને સૂર્યને સંબંધિત વસ્તુઓનું દાન કરો. આ દિવસે ભોજનમાં તલ-ગોળ જરૂર સામેલ કરવા જોઈએ. તલ-ગોળની તાસીર ગરમ હોય છે અને તેના સેવનથી શરીરને ઠંડી સામે લડવાની શક્તિ મળે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા કહે છે કે મકર સંક્રાંતિ પર સૂર્ય ધનથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય ઉત્તરાયણ પણ થઈ જાય છે. આ દિવસ ધર્મની સાથે જ ખગોળ વિજ્ઞાન માટે પણ મહત્વપૂર્ણ હોય છે. જાણો મકર સંક્રાંતિ પર કયા-કયા શુભ કામ કરી શકાય છે.

મકર સંક્રાંતિના દિવસે સવારે સૂર્યોદય પહેલાં પથારી છોડી દેવી જોઈએ. સ્નાન કર્યા પછી સૂર્યને તાંબાના લોટાથી જળ ચઢાવો. ત્યારબાદ તાંબાના લોટામાં જળ ભરી તેમાં ચોખા, લાલ ફૂલ પણ જરૂર નાખો. સૂર્યને જળ ચઢાવતી વખતે સૂર્યના મંત્રોનો જાપ જરૂર કરો. મકર સંક્રાંતિ પર કામળો, કાળા તલ, ચોખા અને તાંબાના કળશનું દાન જરૂરિયાતમંદ લોકોને કરવું જોઈએ.

આ દિવસે ગ્રંથોનો પાઠ પણ જરૂર કરો. તમે ઈચ્છો તો શ્રીરામચરિત માનસ, રામાયણ, શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરી શકો છો. શિવપુરાણ, વિષ્ણુપુરાણ, ગણેશપુરાણ વગેરે ગ્રંથોનો પાઠ પણ કરી શકાય છે.

સંક્રાંતિ પર તીર્થ દર્શન અને પવિત્ર નદીઓમા સ્નાન કરવાની પરંપરા છે. આ દિવસો ગંગા, યમુના, શિપ્રા, નર્મદા, બ્રહ્મપુત્રા, ગોદાવરી જેવી પવિત્ર નદીઓણાં સ્નાન કરવા માટે અનેક ભક્તો પહોંચે છે. જો તમે નદીમાં સ્નાન ન કરી શકતાં હોવ તો ઘર પર જ પાણીમાં થોડા ટીપા ગંગાજળ મેળવીને સ્નાન કરી શકો છો. પોતાના શહેરમાં કે કોઈ પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરમાં દર્શન જરૂર કરો.

‌                                                              ‌મકર સંક્રાંતિ પર હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડનો પાઠ કે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરો.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow