સ્થાનિક માગ યથાવત્ રહેશે, મંદીનો અણસાર નથી: નિષ્ણાતો

સ્થાનિક માગ યથાવત્ રહેશે, મંદીનો અણસાર નથી: નિષ્ણાતો

વદેશમાં ડિસેમ્બર ક્વાર્ટરના નબળા આંકડા બાદ મંદીની શક્યતાને વોલ સ્ટ્રીટ બ્રોકરેજે નકારી કાઢી છે અને કહ્યું છે કે બેઝ ઇફેક્ટને કારણે આંકડાઓ સામાન્ય છે અને જાન્યુઆરીના ડેટા દર્શાવે છે કે સ્થાનિક માંગ હજુ પણ અકબંધ છે.

મોર્ગન સ્ટેનલી ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી ઉપાસના ચાચરા અનુસાર બાહ્ય માંગમાં સ્લોડાઉન, નિકાસમાં ઘટાડા જેવા પરિબળોને કારણે સ્થાનિક માંગ સૂચકાંકોમાં જોવા મળેલા મિશ્ર ટ્રેન્ડને કારણે ડિસેમ્બરના આંકડાઓમાં સુસ્તી જોવા મળી છે. બ્રોકરેજ ફર્મ અનુસાર નાણાકીય વર્ષ 2024 દરમિયાન 6.2 ટકાનો જીડીપી ગ્રોથનો આશાવાદ ધરાવે છે. જે અગાઉ 6 ટકાની ધારણા હતી. ખાસ કરીને સ્થાનિગ માંગને કારણે ગ્રોથ મોમેન્ટમ જળવાયેલું રહેશે.

બજેટમાં આગામી નાણાકીય વર્ષના જીડીપી ગ્રોથને લઇને કોઇ ચોક્કસ આંકડા આપવામાં આવ્યા નથી ત્યારે અંદાજ છે કે તે GDP 6 થી 6.5 ટકાની રેન્જમાં રહી શકે છે. જ્યારે RBIએ તેના તાજેતરના મૂલ્યાંકન રિપોર્ટમાં આગામી નાણાકીય વર્ષમાં ભારત 6.4 ટકાનો આર્થિક વૃદ્ધિ નોંધાવે તેવી ધારણા વ્યક્ત કરી છે. છેલ્લા ક્વાર્ટર દરમિયાન ગ્રોથ ડેટામાં મિશ્ર ટ્રેન્ડ અનુસાર સ્લોડાઉનના કેટલાક સંકેતો હતો. પરંતુ અર્થશાસ્ત્રીઓ તેના માટે બેઝ ઇફેક્ટ અને તહેવારોને જવાબદાર ગણાવે છે.

ખાનગી વપરાશ 1.8%થી વધીને 9.7 ટકા
જાન્યુઆરી, 2023 દરમિયાન ખાનગી વપરાશ વધીને 9.7 ટકા પર જોવા મળ્યો છે. જે સપ્ટેમ્બર, 2022 દરમિયાન માત્ર 1.8 ટકા હતો. જ્યારે ત્રણ વર્ષના CAGRના ધોરણે, તે 3.3 ટકાથી વધીને 3.6 ટકા થયો છે. ખાસ કરીને દેવામાં ઘટાડો તેમજ બચતમાં વધારાના ટ્રેન્ડને કારણે આવકની બેલેન્સ શીટ વધુ મજબૂત બની છે જેને કારણે વપરાશને પણ વેગ મળશે.



 

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow