ઘરની દક્ષિણ દિશામાં આ ઉપાય કરવાથી આવે છે સમૃદ્ધી, દેવુ અને ગરીબીમાંથી મળશે મુક્તિ

ઘરને વાસ્તુની દ્રષ્ટિએ કરો વ્યવસ્થિત
ઘરમાં સુખ-સમૃદ્ધી, શાંતિ અને બરકત ના હોય તો માણસ દ્વારા કરવામાં આવતી મહેનતનો કોઈ અર્થ રહેતો નથી. તે ઘરમાં સુખ-શાંતિ માટે ઘણા પ્રયાસ કરે છે. ત્યાં સુધી કે પૂજા-પાઠ પણ કરે છે, પરંતુ ઈચ્છિત ફળ મળતુ નથી. એવામાં જરૂરી છે કે ઘરને વાસ્તુની દ્રષ્ટિએ વ્યવસ્થિત કરવામાં આવે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે, પરંતુ દેવુ, ગરીબી અને કલેશમાંથી મુક્તિ મળે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દક્ષિણ દિશા માટે ઘણા ઉપાય જણાવવામાં આવ્યાં છે.

સાવરણી
ઘરમાં હંમેશા કલેશ અને ઝગડાની સ્થિતિ રહે છે. જેના કારણે અશાંતિનો માહોલ રહે છે તો દક્ષિણ દિશા તરફ સાવરણી રાખો. આમ કરવાથી ઘરની અશાંતિ દૂર થાય છે અને ખુશીઓનુ આગમન થાય છે. જો કે, સાવરણીને ક્યારેય પણ ઉત્તર-પૂર્વ દિશામાં ના રાખવી જોઈએ.
બેડ
ઘરના બેડરૂમમાં હંમેશા પથારીમાં માથાનો ભાગ દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ. જેને કારણે ઊંઘ્યા બાદ પણ ઊંઘ સારી આવશે અને મનમાં ક્યારેય ખરાબ વિચાર નહીં આવે. વાસ્તુ શાસ્ત્રમાં ઊંઘતી સમયે માણસનુ માથુ દક્ષિણ અને પગ ઉત્તર દિશામાં હોવુ શુભ જણાવવામાં આવ્યું છે.

તસ્વીર
ઘરમાં નકારાત્મક એનર્જીનો વાસ છે અને તેના કારણે અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો ઘરના લિવિંગ રૂમ એટલેકે બેઠકમાં દક્ષિણ દિશામાં ફીનિક્સ ચિડિયાના ફોટા લગાવો. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.