શું પગમાં કાળો દોરો બાંધવાથી રાહુ-કેતુના ક્રોધથી મળી જાય છે મુક્તિ? જાણો રહસ્ય

શું પગમાં કાળો દોરો બાંધવાથી રાહુ-કેતુના ક્રોધથી મળી જાય છે મુક્તિ? જાણો રહસ્ય

પગમાં કાળો દોરો ધારણ કરવાથી શું ફાયદો થઇ શકે?

તમે ઘણા બધા લોકોને અવાર-નવાર પોતાના પગમાં કાળો દોરો બાંધેલો જોયો હશે. તેમાંથી ઘણા લોકો ફેશન સ્વરૂપે પગમાં કાળો દોરો બાંધે છે તો ઘણા લોકો પરાલૌકિક સમસ્યાના સમાધાન માટે આ ઉપાય કરે છે. જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો તેમાં કહેવામાં આવ્યું છે કે પગમાં કાળો દોરો બાંધવાથી કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ મજબૂત થઇ શકે છે. જો તમે પગમાં કાળો દોરો ધારણ કરો તો જીવનમાં આવતી સમસ્યાઓ કઈ રીતે દૂર થઇ શકે

પગમાં કાળો દોરો પહેરવાના ફાયદા

રાહુ-કેતુને મજબૂત બનાવવા માટે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જે લોકોની કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ નબળી હોય, તેમણે કોઈ એક પગમાં કાળો દોરો અવશ્ય બાંધવો જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી રાહુ-કેતુ પ્રસન્ન થાય છે અને જીવનમાં આવતી ઘણી સમસ્યાઓ આપોઆપ હલ થવા લાગે છે.

શનિનો પ્રભાવ થાય છે ઓછો

શનિ દેવને ક્રોધી ગ્રહ માનવામાં આવે છે. જેના પર ક્રોધિત થાય છે, તેમના જીવનમાં શનિની ઢૈયા અને સાડાસાતી શરૂ થતા વાર લાગતી નથી. માન્યતા છે કે પગમાં કાળો દોરો બાંધવાથી શનિ દેવ રાજી રહે છે, જેનાથી આંતરિક કલહ અને આર્થિક તંગીમાંથી મુક્તિ મળી જાય છે.

પુરૂષો કયા પગમાં ધારણ કરે દોરો

જ્યોતિષ વિદ્ધાનો મુજબ પુરૂષ જો પગમાં કાળો દોરો બાંધવા માંગે છે તો તેમણે મંગળવારે જમણા પગમાં તેને ધારણ કરવો જોઈએ. આમ કરવાથી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત રહે છે. આ સાથે રાહુ-કેતુ પણ પરેશાન કરતા નથી.

મહિલાઓ આ પગમાં પહેરે કાળો દોરો

મહિલાઓ જો પગમાં કાળો દોરો બાંધવા માગે છે તો તેના માટે ડાબા પગમાં દોરો પહેરવો યોગ્ય રહે છે. મહિલાઓએ આ દોરાને શનિવારે પગમાં ધારણ કરવો જોઈએ. આમ કરવાથી માનસિક શાંતિ મળે છે અને હેલ્થ સારું રહે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow