તમે પણ વજન ઉતારવા માંગો છો? તો આજે જ ડાઈટમાં ઉમેરી લો આ એક વસ્તુ, બટરની જેમ ઓગળી જશે ચરબી

તમે પણ વજન ઉતારવા માંગો છો? તો આજે જ ડાઈટમાં ઉમેરી લો આ એક વસ્તુ, બટરની જેમ ઓગળી જશે ચરબી

આજકાલ દરેક લોકો પોતાને સ્લિમ-ટ્રીમ રાખવા માંગે છે અને વજન ઉતારવા માટે અનેક નુસ્ખાઓ અપનાવે છે. જો તમે પણ તેમાંથી એક છો તો આ સમાચાર તમારા કામના છે. પોતાની જાતને સ્લિમ-ટ્રીમ રાખવા માટે આજથી જ તમારા આહારમાં નારિયેળ પાણીનો સમાવેશ કરવો જોઈએ. જણાવી દઈએ કે નારિયળ પાણીમાં વિપુલ પ્રમાણમાં બાયો-એક્ટિવ એન્ઝાઇમ હોય છે જે તમારા શરીરના પાચન અને ચયાપચયને ઝડપી બનાવે છે.

સારા અને હેલ્થી ચયાપચયની મદદથી ઝડપથી વજન ઘટી શકે છે. વજન ઘટાડવા માટે નારિયળ પાણી કેવી રીતે ઉપયોગી છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

નારિયેળ પાણીને તમારા દૈનિક આહારનો ભાગ બનાવી શકાય છે. જણાઈ દઈએ કે  નારિયળ પાણીમાં અન્ય ફળોની તુલના કરતાં ઘણી ઓછી કેલરી હોય છે અને એ કારણે જ  વજન ઘટાડવા માટે ઉત્તમ પીણું છે.

આ સાથે જ સવારે વહેલા ઉઠીને નારિયેળ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. વજન ઘટાડવા માટે દિવસમાં બે થી ત્રણ વખત મર્યાદિત માત્રામાં નારિયેળ પાણી પી શકાય છે.

જણાવી દઈએ કે નારિયેળ પાણીમાં કાર્બોહાઈડ્રેટની માત્રા પણ ઘણી ઓછી હોય છે અને આ કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવો અનુભવ થાય છે. પેટ ભરેલ લાગે એવામાં બિનજરૂરી રીતે વારંવાર ખાવાનું લોકો ટાળે છે.

ખાસ કરીને ભોજન કરતા પહેલા નારિયેળ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે.  જમતા પહેલા નારિયેળ પાણી પીવાથી વધુ પડતું ખાવાથી બચી શકાય છે. નાળિયેર પાણીનું સેવન કરવાથી પાચન સારું રહે છે અને આ સાથે જ ખોરાક ખાધા પછી પેટનું ફૂલવાથી છુટકારો મેળવી શકાય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow