તમે પણ વજન ઉતારવા માંગો છો? તો આજે જ ડાઈટમાં ઉમેરી લો આ એક વસ્તુ, બટરની જેમ ઓગળી જશે ચરબી

તમે પણ વજન ઉતારવા માંગો છો? તો આજે જ ડાઈટમાં ઉમેરી લો આ એક વસ્તુ, બટરની જેમ ઓગળી જશે ચરબી

આજકાલ દરેક લોકો પોતાને સ્લિમ-ટ્રીમ રાખવા માંગે છે અને વજન ઉતારવા માટે અનેક નુસ્ખાઓ અપનાવે છે. જો તમે પણ તેમાંથી એક છો તો આ સમાચાર તમારા કામના છે. પોતાની જાતને સ્લિમ-ટ્રીમ રાખવા માટે આજથી જ તમારા આહારમાં નારિયેળ પાણીનો સમાવેશ કરવો જોઈએ. જણાવી દઈએ કે નારિયળ પાણીમાં વિપુલ પ્રમાણમાં બાયો-એક્ટિવ એન્ઝાઇમ હોય છે જે તમારા શરીરના પાચન અને ચયાપચયને ઝડપી બનાવે છે.

સારા અને હેલ્થી ચયાપચયની મદદથી ઝડપથી વજન ઘટી શકે છે. વજન ઘટાડવા માટે નારિયળ પાણી કેવી રીતે ઉપયોગી છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

નારિયેળ પાણીને તમારા દૈનિક આહારનો ભાગ બનાવી શકાય છે. જણાઈ દઈએ કે  નારિયળ પાણીમાં અન્ય ફળોની તુલના કરતાં ઘણી ઓછી કેલરી હોય છે અને એ કારણે જ  વજન ઘટાડવા માટે ઉત્તમ પીણું છે.

આ સાથે જ સવારે વહેલા ઉઠીને નારિયેળ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. વજન ઘટાડવા માટે દિવસમાં બે થી ત્રણ વખત મર્યાદિત માત્રામાં નારિયેળ પાણી પી શકાય છે.

જણાવી દઈએ કે નારિયેળ પાણીમાં કાર્બોહાઈડ્રેટની માત્રા પણ ઘણી ઓછી હોય છે અને આ કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવો અનુભવ થાય છે. પેટ ભરેલ લાગે એવામાં બિનજરૂરી રીતે વારંવાર ખાવાનું લોકો ટાળે છે.

ખાસ કરીને ભોજન કરતા પહેલા નારિયેળ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે.  જમતા પહેલા નારિયેળ પાણી પીવાથી વધુ પડતું ખાવાથી બચી શકાય છે. નાળિયેર પાણીનું સેવન કરવાથી પાચન સારું રહે છે અને આ સાથે જ ખોરાક ખાધા પછી પેટનું ફૂલવાથી છુટકારો મેળવી શકાય છે.

Read more

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની જ્યોર્જે કહ્યું, 'પાર્ટી પણ મારું સાંભળતી નથી, ફરિયાદ કરીશ તો મારા જીવને જોખમ છે'

મલયાલમ એક્ટ્રેસ રિની એન જ્યોર્જે એક યુવાન રાજકારણી પર તેની સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. રિનીએ 20 ઓગસ્ટના રોજ કોચીમાં પ્

By Gujaratnow
રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

રાજકોટની સો.મીડિયા ક્વીન જન્નત મીરે ફિનાઇલ પીધું

'સોરી મમ્મી... જીવાતું હતું એટલું જીવી લીધું...મને માફ કરી દેજો, હવે મારામાં સહન કરવાની તાકત પૂરી થઈ ગઈ છે. મારી ભૂલના કારણે આપણા ઘરે તે આવ્યો અને ખેલ કર્યા

By Gujaratnow
જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢમાં મેઘતાંડવ, 35 ગામો સંપર્ક વિહોણા અનેક રસ્તાઓ બંધ

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતા

By Gujaratnow
સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

સાયન્ટિસ્ટ આપે છે મચ્છરોને VIP ટ્રિટમેન્ટ

રાયપુરમાં અમે તમને એક એવી પ્રયોગશાળા વિશે જણાવીશું જ્યાં મચ્છરો ઉછેરવામાં આવે છે. તેમને ઇંડા, લાર્વા અને પ્યુપાથી લઈને પુખ્તાવસ્થા સુધી VIP ટ્રીટમેન્

By Gujaratnow