શું તમારા શરીરમાં પણ છે લોહીની ઉણપ? તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજવસ્તુ

શું તમારા શરીરમાં પણ છે લોહીની ઉણપ? તો આજથી જ ડાયટમાં સામેલ કરો આ ચીજવસ્તુ

એેનીમિયાથી રક્ત કોશિકાઓમાં ઘટાડો થાય છે

ખોટી ખાનપાન, ભોજનમાં પોષક તત્વોની કમી, માસિક સ્ત્રાવ, આંતરિક ઈજા વગેરેના કારણે શરીરમાં લોહીની કમી થવા લાગે છે. જેનાથી એનીમિયા દર્દીનુ જોખમ વધી જાય છે. શરીરમાં લોહીની કમીથી એનીમિયા રોગ થાય છે. એક રિપોર્ટ મુજબ ભારતમાં દરેક છઠ્ઠો વ્યક્તિ એનીમિયાથી પીડિત છે. આરોગ્ય નિષ્ણાંત મુજબ એેનીમિયાથી રક્ત કોશિકાઓમાં ઘટાડો થવા લાગે છે. જેનાથી શરીરમાં ઑક્સિજનનો સંચાર યોગ્ય રીતે થતો નથી.

પાલકનુ કરો સેવન

પાલકમાં આયરન પુષ્કળ માત્રામાં હોય છે. આ સાથે 90 ટકા પાણી હોય છે. જેથી વધુ પાલકમાં લ્યૂટીન, પોટેશિયમ, ફાઈબર, ફોલેટ અને વિટામિન-ઈ હોય છે, જે અલગ-અલગ પ્રકારની બિમારીઓમાં ફાયદાકારક હોય છે. જેના સેવનથી શરીરમાં આયરનની કમી દૂર થાય છે. શરીરમાં રહેલા ટૉક્સિન પણ બહાર નિકળી જાય છે. જેના માટે શિયાળામાં આયરનની કમી દૂર કરવા માટે ડાયટમાં પાલકને અવશ્ય એડ કરો.

ઈંડા ખાવ

જેમાં ફોલેટ, ફાસ્ફોરસ, કેલ્શિયમ, સેલેનિયમ, વિટામિન-એે, બી, ઈ અને કે હોય છે, જે આરોગ્ય માટે લાભદાયી હોય છે. ઈંડામાં પ્રોટીન પુષ્કળ માત્રામાં હોય છે. જેના માટે ઈંડાને સુપરફૂડ કહેવામાં આવે છે. જેના સેવનથી આયરનની કમી દૂર થાય છે. ડાયટ ચાર્ટ મુજબ એક ઈંડામાં 1 mg આયરન હોય છે.

કિશમિશનુ કરો સેવન

કિશમિશમાં પુષ્કળ માત્રામાં આયરન હોય છે. જેના સેવનથી શરીરમાં ઈન્સ્ટન્ટ આયરનની પૂર્તિ થાય છે. જેના માટે રાત્રે ઊંઘતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી કિશમિશ પલાળીને મુકી દો. બીજા દિવસે કિશમિશનુ સેવન કરો. જેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિન સ્તર વધે છે.

Read more

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow
માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

માજી સૈનિકો-પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા નવ દિવસથી સરકારી ભરતીમાં બેઠક અનામત મામલે માજી સૈનિકો ધરણાં કરી રહ્યાં છે. માજી સૈનિકોની માગ છે કે તેમની બે

By Gujaratnow