શું તમને પણ દાળ ખાવાથી થાય છે ગેસની સમસ્યા ? શરૂ કરો આ ઘરેલૂ ઉપચાર, ચપટી વગાડતા મળશે મુક્તિ

શું તમને પણ દાળ ખાવાથી થાય છે ગેસની સમસ્યા ? શરૂ કરો આ ઘરેલૂ ઉપચાર, ચપટી વગાડતા મળશે મુક્તિ

રોજિંદા જીવનમાં દાળનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જેમકે તમે જાણો જ છો કે દાળમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને જરૂરી મિનરલ્સ જોવા મળે છે, પરંતુ ઘણા લોકોને દાળ ખાધા પછી ગેસની સમસ્યા પણ થાય છે. તેથી દાળ હંમેશા દિવસ દરમિયાન ખાવી જોઈએ. અમુક કઠોળ જેમ કે વટાણા, રાજમા, ચણા વગેરે ખાવાથી પણ ગેસની સમસ્યા વધુ થવા લાગે છે. આજે અમે તમને જણાવીશું કે કયા ઘરેલુ ઉપાય અપનાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

છાશ પીવાથી ગેસની સમસ્યામાંથી મળશે રાહત

છાશ બનાવવા માટે દહીંનો ઉપયોગ કરવામાં આવે છે. છાશમાં લેક્ટિક એસિડ જોવા મળે છે. જો તમને ગેસની સમસ્યા હોય તો છાશમાં થોડા કાળા મરી અને ધાણાનો રસ મિક્સ કરો. છાશનું સેવન કરવાથી તમને ગેસની સમસ્યામાંથી તરત જ રાહત મળશે.

એપલ વિનેગર

દાળ ખાવાથી એસિડ રિફ્લેક્સની સમસ્યા થાય છે, જેના કારણે પેટમાં એસિડની ઉણપ થવા લાગે છે. જો આવું થાય તો એપલ વિનેગર તમારા માટે ખૂબ કામમાં આવી શકે છે. એક કપ પાણીમાં બે ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો. દિવસમાં બે વાર તેનું સેવન કરો. આમ કરવાથી તમને ગેસની સમસ્યાથી રાહત મળશે.

જીરુંનો કરો ઉપયોગ

જીરાના ઉપયોગથી ગેસની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તેનું સેવન કરવાથી ન માત્ર ગેસની સમસ્યાથી રાહત મળે છે પરંતુ પેટના દુખાવાથી પણ છુટકારો મળે છે. જમ્યા પછી શેકેલા જીરાને વાટીને પાણીમાં મિક્સ કરી લો. ત્યાર બાદ તેનું સેવન કરો. તમે ગરમ પાણીમાં જીરું ઉમેરીને પણ પી શકો છો.

તુલસીનું સેવન છે લાભદાયી

તુલસીના પાનનું સેવન કરવાથી તમને ગેસની સમસ્યામાંથી તરત જ રાહત મળશે. જો તમને ગેસની સમસ્યા હોય તો તમારે તુલસીના તાજા પાનને તોડીને ખાવા જોઈએ. જો તમે ખાલી તુલસીના પાન ખાવા નથી માંગતા તો તેને ગરમ પાણીમાં નાખીને પણ તેનું સેવન કરી શકો છો.

તજની ચાનું કરો સેવન

તજ ખાવાથી પેટની પાચન પ્રક્રિયા સુધરે છે. આ ઉપરાંત તજ જઠરાંત્રિય માર્ગમાં ચેપને દૂર કરવામાં મદદ કરે છે. ગેસની સમસ્યા હોય તો તજમાંથી બનેલી ચાનું સેવન કરી શકાય છે.

Read more

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow
આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow