શાક અને સલાડમાં ટામેટુ નાખીને ખાવ છો? તો થઈ જજો સાવધાન, આ 4 બિમારીઓના થઈ શકો છો શિકાર

શાક અને સલાડમાં ટામેટુ નાખીને ખાવ છો? તો થઈ જજો સાવધાન, આ 4 બિમારીઓના થઈ શકો છો શિકાર

અમુક લોકોને ટામેટા ખાવા એટલા પસંદ હોય છે કે તે શાકભાજી, સલાડથી લઈને દરેક વસ્તુમાં ટામેટા નાખીને ખાય છે. ટામેટાને સૌથી વધારે જરૂરી શાકભાજીમાંથી એક માનવામાં આવે છે. ટામેટાની એક સારી વાત એ છે કે તે તમને દરેક સીઝનમાં સરળતાથી મળી જાય છે. આજકાલ ઘરોમાં ટામેટા ઘણા પ્રકારે ખાવામાં આવે છે.

ટામેટાની સેન્ડવિચ, ટામેટાની ચટણી લોકોને ખૂબ જ પસંદ આવે છે. ટામેટાને તમે ઘણા પ્રકારથી ખાઈ શકો છો અને તેના ઘણા ફાયદા પણ છે. પરંતુ અમુક લોકો તેને ખૂબ જ ફાયદાકારક માને છે પરંતુ તે હેલ્થને નુકસાન પહોંચાડી શકે છે.

વધારે ટામેટા ખાવા કેમ છે ખતરનાક?
તમારી જાણકારી અનુસાર ટામેટા પેટમાં ગેસ કરી શકે છે. સાથે જ હેલ્થ સાથે જોડાયેલી પરેશાનીઓનું કારણ બની શકે છે. માટે તેને એક લિમિટ સુધી ખાવું ખૂબ જ ફાયદાકારક છે. ટામેટા વધારે ખાવાથી એસિડ રિફ્લેક્સ, ડાયજેશનમાં પ્રોબ્લેમ, એલર્જી અને ઘણી બીજી સમસ્યા થઈ શકે છે.

તમે પણ જો વધારે ટામેટા ખાવ છો તો તેના સાઈડ ઈફેક્ટ્સ પણ જાણી લેવા જોઈએ. એક રિપોર્ટ અનુસાર જો તમે એસિડ રિફ્લક્સની સમસ્યા છે તો ટામેટા ખાવા બાદ આ તમારી સમસ્યા વધારી શકે છે. ટામેટાથી થતા એસિડ ગેસ્ટ્રિક એસિડ છોડે છે.

ટામેટાના 4 મોટા નુકસાન

પેટની સમસ્યા
જો ભોજન કર્યા બાદ તમારા પેટમાં બ્લોટિંગ થાય છે તો તમારે ટામેટા ન ખાવા જોઈએ. ટામેટા ખાવાથી ઈરિચેબલ બોવલ સિંડ્રોમ ટ્રિગર થાય છે. સાથે જ આંતરડાની સમસ્યા શરૂ થઈ શકે છે. જેમને પાચન ક્રિયામાં સમસ્યા છે તેમને પણ ટામેટા ખાવાથી બચવું જોઈએ.

થઈ શકે છે એલર્જી
ટામટામાં મળી આવતા યૌગિક હિસ્ટામાઈન શરીરમાં એલર્જીનું કારણ બની શકે છે. ટામેટા વધારે પ્રમાણમાં ખાવાથી ખાંસી, છીંક, એક્ઝિમા, ગળામાં બળતરા, ચહેરા, મોઠા અને જીભમાં સોજા જેવી પરેશાનીઓ થઈ શકે છે. જો તમને કોઈ વસ્તુથી એલર્જી છે તો ટામેટુ ભૂલથી પણ ન ખાવ તમારી એલર્જી વધી શકે છે.

કિડની સ્ટોન
ટામેટામાં ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમ અને ઓક્સાલેટ મળી આવે છે જેને વધારે ખાવાથી કિડની સ્ટોન થઈ શકે છે. સાથે જ કિડની સાથે જોડાયેલી બિમારીઓ પણ થઈ શકે છે. કિડનીથી જોડાયેલી બિમારીથી બચવા માંગો છો તો વધારે ટામેટા ન ખાવા જોઈએ.

સંધિવાનું કારણ
ટામેટામાં મળી આવતા હિસ્ટામાઈન અને સોલનિન શરીરમાં કેલ્શિયમ બને છે. જેના કારણે જોઈન્ટ્સમાં સોજા થવાના ચાન્સ વધી જાય છે. તેના કારણે ચાલવા ફરવામાં ખૂબ વધારે દુખાવો થાય છે. ટામેટા વધારે ખાવાથી સંધિવા અથવા અર્થરાઈટિસનું કારણ બને છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow