સવારે ઉઠતાવેંતની સાથે તમારી હથેળીઓ જોઈને કરો આ કામ, આખોય દિવસ સુધરી જશે

સવારે ઉઠતાવેંતની સાથે તમારી હથેળીઓ જોઈને કરો આ કામ, આખોય દિવસ સુધરી જશે

હિંદૂ ધર્મ શાસ્ત્રોમાં સવારે ઉઠીને પોતાની હથેળીના દર્શન કરવાની વાત કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે સવારે ઉંઘમાંથી ઉઠતાની સાથે જ આમ કરવું શુભ છે. તમારા હાથની હથેળીને જોતા પહેલા કોઈપણ વસ્તુ અથવા વ્યક્તિ તરફ ન જુઓ. ધાર્મિક ગ્રંથોમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે કે હથેળીના સૌથી ઉપરના ભાગમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે.

હથેળીના દર્શન માનવામાં આવે છે શુભ
ગ્રહ દશાને શુભ બનાવવા માટે ઉંઘમાંથી ઉઠ્યા બાદ હથેળીઓના દર્શન કરવા જોઈએ. તે ઉપરાંત બન્ને હાથોના દર્શન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સાથે જ સુખ અને સમૃદ્ધિ પણ વધે છે. સકારાત્મક ઉર્જાને વધારવા માટે હથેળીઓના દર્શન કરવા પણ શુભ માનવામાં આવે છે.

આ નાના કામને તમારા દરરોજના જીવનનો નિયમ બનાવવો જોઈએ કારણ કે આ નાનકડું કાર્ય તમારું જીવન બદલી શકે છે. તમારી હથેળીને જોતી વખતે પણ મંત્રનો પાઠ કરવો જોઈએ. સવારે સૌપ્રથમ તમારી બંને હથેળીઓ જોડવાનો પ્રયાસ કરો અને ઓછામાં ઓછા એક વખત આ મંત્રનો જાપ કરો.
"कराग्रे बसते लक्ष्मीः करमध्ये सरस्वती, करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम्"

આ મંત્રનો અર્થ થાય છે કે હથેળીઓના આગળના ભાગમાં મા લક્ષ્મી, મધ્ય ભાગમાં વિદ્યાદાત્રી સરસ્વતી અને મૂળના ભાગમાં ભગવાન ગોવિંદ નિવાસ કરે છે. હું તેમની મુલાકાત પ્રભાતમાં એટલે કે હથેળીમાં કરું છું.  

હથેળીઓમાં હોય છે તીર્થ
ધાર્મિક માન્યતા છે કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી, વચ્ચે સરસ્વતી અને સૌથી નીચેના ભાગમાં ગોવિન્દનો વાસ હોય છે. તે ઉપરાંત ધાર્મિક ગ્રંથોમાં એમ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બે હથેળીઓમાં અમુક તીર્થ પણ આવેલા છે. ડાબા હાથની હથેળીની ચારે આંગળીઓમાં દેવતીર્થ છે.  તર્જની આંગળીના મૂળ ભાગમાં પિતૃતીર્થ છે. જ્યારે સૌથી નાની આંગળીમાં પ્રજાપતિ તીર્થ છે.

સાથે જ અંગુઠાના ભાગમાં બ્રહ્મતીર્થ છે. આ સાથે જ ડાબી હથેળીની વચ્ચે અગ્નિતીર્થ છે. જ્યારે ડાબી હથેળીની વચ્ચે સોમતીર્થ છે. આંગળીઓની દરેક જગ્યાઓ અને જ્વોઈન્ટ્સમાં ઋષિતીર્થ છે. માટે તેમના દર્શન કરવા શુભ માનવામાં આવે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow