સસ્તામાં કરી લો આ ઉપાય, વાળ બનશે શાઈની અને હેલ્ધી

સસ્તામાં કરી લો આ ઉપાય, વાળ બનશે શાઈની અને હેલ્ધી

માટી, પોલ્યુશન અને તડકાને કારણે વાળમાં ડ્રાયનેસ આવે છે અને તે ડેમેજ થાય છે. આનું એક કારણ યોગ્ય ડાયટ ન લેવો એ પણ હોઇ શકે છે. તેના કારણે વાળની ચમક ખોવાઇ જાય છે. આ દરેક સમસ્યાથી બચવા માટે તમે આ ઘરેલૂ ઉપાયો ટ્રાય કરી શકો છો. તેનાથી વાળને શાઇની અને સોફ્ટ બનાવી શકાય છે. તો  જાણો વાળને શાઇની અને સોફ્ટ બનાવવાની ટિપ્સ.

ઇંડા

2 ચમચી ડુંગળીના રસમાં 1 ઇંડાની સફેદી મિક્સ કરો. તેનાથી સ્કલ્પ પર મસાજ કરો. 1 કલાક બાદ ધોઇ લો.



લીમડાના પાન

1-1 ચમચી લીમડાના પાનની પેસ્ટ અને દહીં મિક્સ કરો. તેને રેગ્યુલર વાળ અને સ્કલ્પ પર લગાવો.

કાકડી

2 ચમચી કાકડીની પેસ્ટ વાળ અને સ્કલ્પ પર લગાવો. તેના 1 કલાક બાદ તેને ધોઇ લો.

ઓલિવ ઓઇલ

3-4 ચમચી ઓલિવ ઓઇલને ગરમ કરો. હૂંફાળું થાય ત્યારે મસાજ કરો. હવે ટોવેલને થોડો ગરમ કરીને વાળ પર બાંધો. 1 કલાક બાદ નહાઇ લો.



ખાટું દહીં

2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટું દહીં અને લીંબુનો રસ મિક્સ કરો. તેનાથી વાળ અને સ્કલ્પ પર મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઇ લો.

મધ

2-2 ચમચી મધ અને દૂધ મિક્સ કરો. તેનાથી વાળ પર 5-6 મિનિટ સુધી મસાજ કરો. 1 કલાક બાદ નહાઇ લો.

મેથી દાણા

2 ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી રાખો. સવારે તેને પીસીને વાળ પર લગાવો.


ગાજર

રેગ્યુલર 2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કલ્પ પર લગાવો. 1 કલાક બાદ તેને ધોઇ લો.

અલોવેરા જેલ

રેગ્યુલર 1 ચમચી અલોવેરા જેલને વાળ અને સ્કલ્પ પર લગાવો. 1 કલાક બાદ તેને ધોઇ લો.

બટાકા

2 કે 3 બટાકાને પીસીને રસ કાઢી લો. તેને વાળ અને સ્કલ્પ પર લગાવો. 1 કલાક બાદ ધોઇ લો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow