સવારે ઉઠતાની સાથે કરી લો આ નાનકડા કામ, સ્કીન અને વાળ પર આવશે ગજબની ચમક

સવારે ઉઠતાની સાથે કરી લો આ નાનકડા કામ, સ્કીન અને વાળ પર આવશે ગજબની ચમક

શ્વાસની દુર્ગંધ તમારી જીવનશૈલી પર ખરાબ અસર કરે છે. આના ઘણા કારણો હોઈ શકે છે. કેટલીકવાર એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે તમારે શરમમાં મુકાવવું પડે છે. એટલા માટે તમને ખાવાની સાથે તમારી દિનચર્યામાં પણ ફેરફાર કરવાની સલાહ આપવામાં આવે છે. આ સલાહને અનુસરીને મોંની દુર્ગંધથી બચી શકાય છે. આ આદતોથી તમે તમારૂ પાચનતંત્ર, વાળ અને ત્વચાને પણ સુધારી શકો છો. ચાલો જાણીએ કે કઈ આદતોને તાત્કાલિક બદલવાની જરૂર છે.

પાણી પીવું
બોડી ડિટોક્સ માટે પાણી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાણી પીવાથી શરીરને પોષક તત્વો મળે છે. તમે જે પણ ખાઓ છો તેના પોષક તત્વો સાથે મળીને પાણી શરીરમાં ગ્લુકોઝ બનાવવામાં મદદ કરે છે. સવારે એક ગ્લાસ પાણી પીવાથી શરીરમાં તાજગીનો અહેસાસ થાય છે અને તમે દિવસભર એનર્જી સાથે કામ કરી શકો છો. તેથી તમારે દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આમ કરવાથી બોડી ડિટોક્સ પણ થાય છે જેના કારણે વાળ અને સ્કીન ચમદાર બને છે. સાથે જ તેનાથી શ્વાસમાં દુર્ગંધ આવતી નથી. કારણ કે પાણી પીવાથી બેક્ટેરિયા કે મૃત કોષો એકઠા થતા નથી.

દાતણનો ઉપયોગ
જો તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માંગતા હો, તો તમારે બાવળ અથવા અન્ય કોઈપણ ફાયદાકારક ઝાડના લાકડામાંથી બનાવેલ દાતણનો ઉપયોગ કરવો જોઈએ. તે કુદરતી ગુણધર્મો ધરાવે છે. જે મૂળમાંથી બેક્ટેરિયાને ખતમ કરીને પેઢાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સંપૂર્ણપણે બાયો-ડિગ્રેડેબલ છે. જે પર્યાવરણને નુકસાન કરતું નથી.

ઓઈલ પુલિંગ
આ પ્રક્રિયાને આયુર્વેદમાં પ્રસિદ્ધ ટેકનિક ગણવામાં આવે છે. જે મોઢામાંથી બેક્ટેરિયા અને કીટાણુઓને દૂર કરવામાં મદદ કરે છે. ઘણા લોકો નાળિયેર તેલનો ઉપયોગ કરીને ઓઈલ પુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરે છે. કારણ કે તે કરવું સરળ છે. તેમાં એન્ટી-ઈફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે. જે દાંતને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે. નારિયેળ તેલ સિવાય તમે ઓલિવ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow