સવારે ઉઠતાની સાથે કરી લો આ નાનકડા કામ, સ્કીન અને વાળ પર આવશે ગજબની ચમક

સવારે ઉઠતાની સાથે કરી લો આ નાનકડા કામ, સ્કીન અને વાળ પર આવશે ગજબની ચમક

શ્વાસની દુર્ગંધ તમારી જીવનશૈલી પર ખરાબ અસર કરે છે. આના ઘણા કારણો હોઈ શકે છે. કેટલીકવાર એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે કે તમારે શરમમાં મુકાવવું પડે છે. એટલા માટે તમને ખાવાની સાથે તમારી દિનચર્યામાં પણ ફેરફાર કરવાની સલાહ આપવામાં આવે છે. આ સલાહને અનુસરીને મોંની દુર્ગંધથી બચી શકાય છે. આ આદતોથી તમે તમારૂ પાચનતંત્ર, વાળ અને ત્વચાને પણ સુધારી શકો છો. ચાલો જાણીએ કે કઈ આદતોને તાત્કાલિક બદલવાની જરૂર છે.

પાણી પીવું
બોડી ડિટોક્સ માટે પાણી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાણી પીવાથી શરીરને પોષક તત્વો મળે છે. તમે જે પણ ખાઓ છો તેના પોષક તત્વો સાથે મળીને પાણી શરીરમાં ગ્લુકોઝ બનાવવામાં મદદ કરે છે. સવારે એક ગ્લાસ પાણી પીવાથી શરીરમાં તાજગીનો અહેસાસ થાય છે અને તમે દિવસભર એનર્જી સાથે કામ કરી શકો છો. તેથી તમારે દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આમ કરવાથી બોડી ડિટોક્સ પણ થાય છે જેના કારણે વાળ અને સ્કીન ચમદાર બને છે. સાથે જ તેનાથી શ્વાસમાં દુર્ગંધ આવતી નથી. કારણ કે પાણી પીવાથી બેક્ટેરિયા કે મૃત કોષો એકઠા થતા નથી.

દાતણનો ઉપયોગ
જો તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માંગતા હો, તો તમારે બાવળ અથવા અન્ય કોઈપણ ફાયદાકારક ઝાડના લાકડામાંથી બનાવેલ દાતણનો ઉપયોગ કરવો જોઈએ. તે કુદરતી ગુણધર્મો ધરાવે છે. જે મૂળમાંથી બેક્ટેરિયાને ખતમ કરીને પેઢાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સંપૂર્ણપણે બાયો-ડિગ્રેડેબલ છે. જે પર્યાવરણને નુકસાન કરતું નથી.

ઓઈલ પુલિંગ
આ પ્રક્રિયાને આયુર્વેદમાં પ્રસિદ્ધ ટેકનિક ગણવામાં આવે છે. જે મોઢામાંથી બેક્ટેરિયા અને કીટાણુઓને દૂર કરવામાં મદદ કરે છે. ઘણા લોકો નાળિયેર તેલનો ઉપયોગ કરીને ઓઈલ પુલિંગની પ્રક્રિયા પૂર્ણ કરે છે. કારણ કે તે કરવું સરળ છે. તેમાં એન્ટી-ઈફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે. જે દાંતને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે. નારિયેળ તેલ સિવાય તમે ઓલિવ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow