ભૂલથી પણ આ દિશામાં સીડીઓ ના રખાવતા, નહીં તો ઊભી થશે અનેક મુશ્કેલીઓ!

ઘરના ઈશાન ખૂણામાં સીડીઓ બનાવાય કે નહીં?
જ્યારે પણ ઘર બને છે ત્યારે વાસ્તુનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, જેનાથી આપણને લાભ થાય છે. જો ઘર બનાવતી વખતે વાસ્તુની બધી બાબતોનુ ધ્યાન રાખવામાં આવે તો તમે ક્યારેય પણ કોઈ પણ વસ્તુથી પરેશાન નહીં થાવ. પછી તે આર્થિક સ્થિતિ હોય અથવા મનને મળતી શાંતિ બધી વસ્તુઓ સામાન્ય ચાલે છે. ખરેખર, વાસ્તુ શાસ્ત્રમાં ઘરના સુશોભન વિશે ઘણા નિયમ જણાવવામાં આવ્યાં છે. જો તમે આ નિયમોનુ પાલન કરશો તો તમને જીવનમાં આગળ વધતા કોઈ નહીં રોકી શકે. ઘરમાં પણ સકારાત્કતા ફેલાય છે. જાણીતા જ્યોતિષ આચાર્ય પાસેથી જાણીએ કે વાસ્તુ મુજબ ઘરના ઈશાન ખૂણામાં સીડીઓ બનાવવી જોઈએ કે નહીં.

ક્યારેય પણ સીડીઓનુ નિર્માણ ના કરવુ જોઈએ
ઈશાન ખૂણો એટલેકે ઘરની ઉત્તર-પૂર્વ દિશા. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલેકે ઈશાન ખૂણામાં ક્યારેય પણ સીડીઓનુ નિર્માણ ના કરવુ જોઈએ. ઘરના ઈશાન ખૂણામાં સીડીઓનુ નિર્માણ કરાવવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેને પગલે તમારા બાળકોના વિકાસના માર્ગમાં અડચણો આવશે અને શિક્ષણ સંબંધિત મુશ્કેલીઓ તેને તંગ કરી શકે છે.
બાળકોને પડશે તકલીફ
બાળકોનુ અભ્યાસમાંથી મન હટી જશે. આ ખૂણામાં સીડીઓનુ નિર્માણ કરાવવાથી વેપારમાં નુકસાનની સાથે-સાથે સ્વાસ્થ્યમાં પણ ઘટાડો આવે છે તથા ઘરના માલિકની નાદારી થવાની સંભાવના પણ સતત રહે છે.