તુલસીના છોડના આ સંકેતોને ન કરશો નજરઅંદાજ, નહીંતર ઘટી શકે છે અઘટીત ઘટના

તુલસીના છોડના આ સંકેતોને ન કરશો નજરઅંદાજ, નહીંતર ઘટી શકે છે અઘટીત ઘટના

તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાય તો એલર્ટ થઇ જજો

સનાતન ધર્મમાં ઘણા બધા એવા છોડ છે, જેની ધાર્મિક માન્યતાઓ મુજબ પૂજા-પાઠ કરવામાં આવે છે.  

જેની સાથે ઘરે તુલસીનો છોડ મુકવો પણ અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીનો છોડ તમારા ઘરની શાંતિ અને સુખ-સમૃદ્ધીનુ પ્રતિક હોય છે.  

આ સાથે તુલસીનો આ છોડ તમને સારું-ખરાબ થવાનો પણ સંકેત આપે છે. તમે વારંવાર જોયુ હશે કે તુલસીનો હર્યોભર્યો છોડ અચાનક સુકાઈ જાય અથવા પછી તુલસીના પાન ખરવા લાગે છે, જે ઘર પર અથવા કોઈ સભ્ય પર દુર્ઘટના થવાના એંધાણ આપે છે.  

તુલસીનો છોડ સુકાવાના સંકેત

ઘણા લોકો પોતાના ઘરે તુલસીનો છોડ મુકીને તેની પૂજા કરે છે. પરંતુ છોડની યોગ્ય સારસંભાળ ના કરવાથી, વધારે અથવા ઓછુ પાણી આપવાથી અથવા પછી ઠંડી વધુ હોવાના કારણે તુલસીનો છોડ સુકાવા લાગે છે.  

પરંતુ ઘરમાં લગાવેલો લીલો છોડ અચાનકથી સુકાવા લાગે તો આ ભવિષ્યમાં ઘટવાની કોઈ મોટી અનહોનિના એંધાણ આપે છે.  

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ સંકેત આ વાત તરફ ઈશારો કરે છે કે તમારા ઘરે વિષ્ણુજીની કૃપા નથી. ધાર્મિક કથાઓ મુજબ, તુલસી શ્રીકૃષ્ણ એટલેકે વિષ્ણુજીને અતિપ્રિય છે.  

શ્રીકૃષ્ણના ચરણમાં તુલસી અર્પણ કરવી શુભ માનવામાં આવી છે. એવામાં તુલસી સુકાય તો તેને નજરઅંદાજ ના કરો.

ઉપાય

  1. તુલસીના છોડને નિયમિત જળ આપો.
  2. સવાર-સાંજ દીવો પ્રગટાવો.
  3. તુલસીના છોડને સાફ અને સ્વચ્છ હોય ત્યારે જ સ્પર્શ કરો.
  4. વધુ સમય સુધી ઠંડા અથવા ગરમ સ્થાન પર ના રાખો.
  5. જો છોડ વારંવાર સુકાઈ રહ્યો છે તો છોડને ઘરમાંથી હટાવી દો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow