તુલસીના છોડના આ સંકેતોને ન કરશો નજરઅંદાજ, નહીંતર ઘટી શકે છે અઘટીત ઘટના

તુલસીના છોડના આ સંકેતોને ન કરશો નજરઅંદાજ, નહીંતર ઘટી શકે છે અઘટીત ઘટના

તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાય તો એલર્ટ થઇ જજો

સનાતન ધર્મમાં ઘણા બધા એવા છોડ છે, જેની ધાર્મિક માન્યતાઓ મુજબ પૂજા-પાઠ કરવામાં આવે છે.  

જેની સાથે ઘરે તુલસીનો છોડ મુકવો પણ અત્યંત શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીનો છોડ તમારા ઘરની શાંતિ અને સુખ-સમૃદ્ધીનુ પ્રતિક હોય છે.  

આ સાથે તુલસીનો આ છોડ તમને સારું-ખરાબ થવાનો પણ સંકેત આપે છે. તમે વારંવાર જોયુ હશે કે તુલસીનો હર્યોભર્યો છોડ અચાનક સુકાઈ જાય અથવા પછી તુલસીના પાન ખરવા લાગે છે, જે ઘર પર અથવા કોઈ સભ્ય પર દુર્ઘટના થવાના એંધાણ આપે છે.  

તુલસીનો છોડ સુકાવાના સંકેત

ઘણા લોકો પોતાના ઘરે તુલસીનો છોડ મુકીને તેની પૂજા કરે છે. પરંતુ છોડની યોગ્ય સારસંભાળ ના કરવાથી, વધારે અથવા ઓછુ પાણી આપવાથી અથવા પછી ઠંડી વધુ હોવાના કારણે તુલસીનો છોડ સુકાવા લાગે છે.  

પરંતુ ઘરમાં લગાવેલો લીલો છોડ અચાનકથી સુકાવા લાગે તો આ ભવિષ્યમાં ઘટવાની કોઈ મોટી અનહોનિના એંધાણ આપે છે.  

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, આ સંકેત આ વાત તરફ ઈશારો કરે છે કે તમારા ઘરે વિષ્ણુજીની કૃપા નથી. ધાર્મિક કથાઓ મુજબ, તુલસી શ્રીકૃષ્ણ એટલેકે વિષ્ણુજીને અતિપ્રિય છે.  

શ્રીકૃષ્ણના ચરણમાં તુલસી અર્પણ કરવી શુભ માનવામાં આવી છે. એવામાં તુલસી સુકાય તો તેને નજરઅંદાજ ના કરો.

ઉપાય

  1. તુલસીના છોડને નિયમિત જળ આપો.
  2. સવાર-સાંજ દીવો પ્રગટાવો.
  3. તુલસીના છોડને સાફ અને સ્વચ્છ હોય ત્યારે જ સ્પર્શ કરો.
  4. વધુ સમય સુધી ઠંડા અથવા ગરમ સ્થાન પર ના રાખો.
  5. જો છોડ વારંવાર સુકાઈ રહ્યો છે તો છોડને ઘરમાંથી હટાવી દો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow