DGCAનો અકાસા એર કેસમાં દખલ નહીં

DGCAનો અકાસા એર કેસમાં દખલ નહીં

ઉડ્ડયન નિયમનકાર DGCA એ અકાસા એરના 43 પાઇલટ્સે અચાનક નોકરી છોડી દેવાના મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. ડીજીસીએએ કહ્યું કે તેની પાસે કોઈપણ રોજગાર કરારમાં દખલ કરવાની સત્તા નથી. Akasa Airએ DGCA પર આ વિવાદમાં કોઈ પગલાં ન લેવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ DGCAનો આ જવાબ આવ્યો છે.

પાઇલોટ્સ નોટિસ આપ્યા વિના એરલાઇન છોડી ગયા બાદ અકાસાએ હાઇકોર્ટમાં અરજી કરી છે. અકાસાએ કાનૂની ફાઇલિંગમાં કહ્યું હતું કે DGCAના હસ્તક્ષેપના અભાવને કારણે એરલાઇન નાણાકીય નુકસાન સાથે કામગીરી ચાલુ રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અકાસા એરમાં, ફર્સ્ટ ઓફિસર્સ માટે નોટિસ પિરિયડ 6 મહિના અને કેપ્ટન્સ માટે 1 વર્ષ છે.

અકાસા દર મહિને 3,500 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે
એરલાઈન્સ અનુસાર, પાઈલટોના રાજીનામાને કારણે તેમને ઓગસ્ટમાં 18% એટલે કે 630 થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. અકાસા દરરોજ 120 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. એટલે કે તે દર મહિને 3,500 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow