દેશમાં 4.25%નો ફુગાવા દર છતાં ડિસઇન્ફ્લેશનની પ્રક્રિયા લાંબી ચાલશે

દેશમાં 4.25%નો ફુગાવા દર છતાં ડિસઇન્ફ્લેશનની પ્રક્રિયા લાંબી ચાલશે

દેશમાં મે મહિનામાં મોંઘવારી દર 4.25 ટકા સાથે 25 મહિનાના નીચલા સ્તરે હોવા છતાં રિટેલ ડિઇન્ફેલ્શનની પ્રક્રિયા ધીમી અને લાંબી રહેશે તેવું આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસનું નિવેદન આશ્ચર્યજનક લાગે છે. ફુગાવો RBIના લક્ષ્યાંકની ખૂબ નજીક છે પરંતુ તેમ છતાં ગવર્નરે કહ્યું હતું કે રિઝર્વ બેન્ક માત્ર મધ્યમ સમયગાળા દરમિયાન જ ફુગાવાના લક્ષ્ય સુધી પહોંચી શકશે. તે એ માટે પણ વધુ આશ્ચર્યજનક છે કારણ કે WPI પણ મે મહિનામાં 3.48 ટકાના સ્તરે સતત બીજા મહિને ડિઇન્ફેલશન હેઠળ હતો.

જો કે, આંકડાઓ પર ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરવામાં આવે તો RBI ગવર્નરનું નિવેદન યોગ્ય હોવાનું જાણવા મળે છે. મે મહિનામાં જ્યાં એક તરફ છૂટક ખાદ્ય અને ઇંધણ ફુગાવો ઘટ્યો હતો ત્યારે કોર ફુગાવો મે દરમિયાન આંશિક ઘટીને 5.7% થયો હતો જે એપ્રિલ દરમિયાન 5.8 ટકા હતો. મે દરમિયાન ખાદ્ય ફુગાવો 2.91 ટકા સાથે 18 મહિનાના તળિયે હતો અને વીજળી-ઇંધણ ફુગાવો પણ 4.64 ટકા સાથે 26 મહિનાના નીચલા સ્તરે હતો. જો કે કોર ફુગાવાનો દર લગભગ 29 મહિના સુધી 5-6.5 ટકાની રેન્જ વચ્ચે રહ્યો હતો.

અહીં મુખ્ય ફુગાવાની ગણતરી ખાદ્ય ચીજવસ્તુઓ, ઈંધણને બહાર રાખીને કરવામાં આવી છે. કોર ફુગાવામાં આંશિક ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ અલનીનોની અસરને કારણે ચોમાસાને લઇને અનિશ્ચિતતા ખાદ્ય ફુગાવાને અસર કરી શકે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow