સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોયથી તારાજી

સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોયથી તારાજી

છેલ્લા 3-4 દિવસથી બિપરજોય વાવાઝોડાની દહેશતે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. ગઇકાલે મોડી સાંજે 115-125 કિમીની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાએ જખૌમાં લેન્ડફોલ કરતા જ કચ્છ-ભુજ-માંડવીમાં ભારે તારાજી સર્જાઇ હતી. જામનગરના હાલારમાં 2થી 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માત્ર સૌરાષ્ટ્રમાં જ 4048 વીજપોલ, 80થી વધુ વૃક્ષો એક જ દિવસમાં ધરાશાયી થઇ ગયા. 1092 ગામોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાઇ. અહીં 36 કલાકમાં 515 વીજળીના થાંભલા પડી ગયા.

અબડાસા તાલુકાના નલિયા-ભુજ હાઇવે પર ભવાનીપર ગામ પાસે ભારે વરસાદમાં પુલ સહિત રસ્તો ધોવાઇ જતાં નલિયા સાથે જોડતો આ રસ્તો પરિવહન માટે બંધ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વાવાઝોડા જેવી કોઇ મોટી હોનારત કે ભારે વરસાદ ન હોવા છતાં આ પુલમાં એક તરફ ગાબડું પડતાં માર્ગ અવરોધાયો હતો.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow