સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોયથી તારાજી

સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોયથી તારાજી

છેલ્લા 3-4 દિવસથી બિપરજોય વાવાઝોડાની દહેશતે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. ગઇકાલે મોડી સાંજે 115-125 કિમીની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાએ જખૌમાં લેન્ડફોલ કરતા જ કચ્છ-ભુજ-માંડવીમાં ભારે તારાજી સર્જાઇ હતી. જામનગરના હાલારમાં 2થી 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માત્ર સૌરાષ્ટ્રમાં જ 4048 વીજપોલ, 80થી વધુ વૃક્ષો એક જ દિવસમાં ધરાશાયી થઇ ગયા. 1092 ગામોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાઇ. અહીં 36 કલાકમાં 515 વીજળીના થાંભલા પડી ગયા.

અબડાસા તાલુકાના નલિયા-ભુજ હાઇવે પર ભવાનીપર ગામ પાસે ભારે વરસાદમાં પુલ સહિત રસ્તો ધોવાઇ જતાં નલિયા સાથે જોડતો આ રસ્તો પરિવહન માટે બંધ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વાવાઝોડા જેવી કોઇ મોટી હોનારત કે ભારે વરસાદ ન હોવા છતાં આ પુલમાં એક તરફ ગાબડું પડતાં માર્ગ અવરોધાયો હતો.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow