કારગિલ દિવસ નિમિત્તે સંરક્ષણમંત્રીની ચીમકી!

કારગિલ દિવસ નિમિત્તે સંરક્ષણમંત્રીની ચીમકી!

24મી કારગિલ વિજય દિવસ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અમે કારગિલ યુદ્ધમાં નિયંત્રણ રેખા (એલઓસી) પાર કરી નથી. તેનો અર્થ એ નથી કે અમે એલઓસી પાર કરી શક્યા નથી. અમે તે કરી શક્યા હોત, કરી શકીએ છીએ અને જરૂર પડશે તો કરીશું. તેમણે એમ પણ કહ્યું કે જનતાએ યુદ્ધ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. તેમણે નાગરિકોને આવી સ્થિતિમાં સૈનિકોને સાથ આપવા તૈયાર રહેવા આહ્વાન કર્યું હતું.

રક્ષા મંત્રીએ દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ પણ હાજર હતા. તેમણે કારગિલ યુદ્ધના શહીદોને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. બાદમાં રાજનાથ સિંહે દ્રાસમાં ‘હટ ઓફ રિમેમ્બરન્સ’ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow